Site icon Revoi.in

નરેન્દ્ર મોદીનો ભૂતાન પ્રવાસઃ ભારત-ભૂતાન સંબંધોને મજબૂત કરવા પર ભાર

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય ભૂતાન પ્રવાસનો આજે (બુધવાર) બીજો અને અંતિમ દિવસ છે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચેની અનન્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહત્ત્વની તક પૂરી પાડી રહી છે.

આજના કાર્યક્રમની શરૂઆતમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના ચોથા નરેશ મહામહિમ ડ્રુક ગ્યાલ્પો જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન ભારત અને ભૂતાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેના મહત્ત્વના પાસાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

સ્વદેશ પરત ફરતા પહેલા, પ્રધાનમંત્રી મોદી એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કાલચક્ર સમારોહમાં હાજરી આપશે, જે તિબેટીયન બૌદ્ધ ધર્મનો એક મુખ્ય અને પવિત્ર કાર્યક્રમ ગણાય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણની દ્રષ્ટિએ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહેશે.

પ્રધાનમંત્રીની આ યાત્રાથી ભારત અને ભૂતાન વચ્ચેના પરંપરાગત ગાઢ સંબંધોને નવો વેગ મળ્યો છે, તેમજ બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખૂલવાની આશા છે.