1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત-ચીન વચ્ચે 16 કલાકની મંત્રણા નિષ્ફળ, LAC તણાવ પર હજુ અસંમતિ

ભારત-ચીન વચ્ચે 16 કલાકની મંત્રણા નિષ્ફળ, LAC તણાવ પર હજુ અસંમતિ

0
Social Share
  • ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદને લઇને 10મા સ્તરની મંત્રણા યોજાઇ
  • 16 કલાકની વાતચીત બાદ પણ તણાવ પર કોઇ સહમતિ ના સધાઇ
  • હજુ કેટલાક મુદ્દા પર સમાધાન માટે વધુ સંવાદની આવશ્યકતા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ પર તણાવ ઓછો કરવા માટે કમાન્ડર સ્તરની મંત્રણા ચાલી રહી છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ઉકેલવા માટે 10માં સ્તરની મંત્રણા થઇ હતી અને આ દરમિયાન 16 કલાક સુધી વાતચીત ચાલી હતી. જો કે મેરેથોન મંત્રણા દરમિયાન પૂર્વીય લદ્દાખના તણાવપૂર્ણ વિસ્તારો હોટ સ્પ્રિંગ, ગોગ્રા અને ડેપસાંગમાંથી સૈનિકોને વહેલી તકે પાછા ખેંચવામાં કોઇ નક્કર સફળતા મળી નથી.

આ દરમિયાન, બંને દેશો દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, પેંગોંગ લેક વિસ્તારમાંથી સેના પરત ખેંચવી તે પશ્વિમ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અન્ય મુદ્દાઓના ઉકેલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. બંને પક્ષો તેમના નેતાઓ વચ્ચે સધાયેલી સંમતિ, વાતચીત અને સંપર્ક ચાલુ રાખવા, જમીન પરની પરિસ્થિતિને સ્થિર અને નિયંત્રિત કરવા અને બાકીના મુદ્દાઓને સંતુલિત રીતે ઉકેલવા સંમત થયા છે.

વાસ્તવિક નિયંત્રણ રેખાની ચીની બાજુ મોલ્દો પોઇન્ટ વિસ્તારમાં શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ અને રાત્રે બે વાગ્યા સુધી ચાલેલા બંને દેશો વચ્ચેના કોર કમાન્ડર સ્તરની વાતચીતના દસમા રાઉન્ડ બાદ આ નિવેદન આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને પક્ષોએ એકબીજાને પંગોંગ તળાવ વિસ્તારમાંથી ફ્રન્ટલાઇન સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરવા અંગે સકારાત્મક રીતે માહિતી આપી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે પશ્ચિમ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અન્ય મુદ્દાઓના ઉકેલની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેઓએ (બંને પક્ષો)એ પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને દેશોએ પંગોંગ તળાવ ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ છેડાવિસ્તારોમાંથી તેમના સૈનિકો અને શસ્ત્રીકરણદૂર કર્યાના બે દિવસ બાદ લશ્કરી સ્તરની વાતચીતનો દસમો રાઉન્ડ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ મંત્રણામાં ભારતે તણાવ ને સરળ બનાવવા માટે ગરમ ઝરણા, ગોગરા અને ડેપસાંગ વિસ્તારોમાંથી વહેલી તકે સૈનિકો પાછા ખેંચવા પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે કોઈ નક્કર સફળતા મળી નથી. હજી વધુ સંવાદની જરૂર છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code