1. Home
  2. ગુજરાતી
  3. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની ઘોષણા
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની ઘોષણા

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની ઘોષણા

0
Social Share
  • પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને AAPની તૈયારી
  • પંજાબમાં સીએમ પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની કરી ઘોષણા
  • ટ્વિટરના માધ્યમથી AAPએ જાણકારી આપી

નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ કમર કસી રહી છે. હવે પંજાબમાં AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આપ તરફથી પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત મનની ઘોષણા કરવામાં આવી છે.

પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અગાઉ એક પોલ આવેલો જેમાં આમ આદમી પાર્ટીનું પલડું ભારે દેખાતું હતું અને હવે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની જાહેરાત કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code