1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીતા તમને મુશ્કેલીઓને પાર કરવાની શક્તિ પૂરી પાડે છે, યુવા પેઢીઓએ જરૂર વાંચવી જોઇએ: PM મોદી

ગીતા તમને મુશ્કેલીઓને પાર કરવાની શક્તિ પૂરી પાડે છે, યુવા પેઢીઓએ જરૂર વાંચવી જોઇએ: PM મોદી

0
  • પીએમ મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના કિંડન વર્ઝનને લોન્ચ કર્યું
  • આ પ્રસંગ પર પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો
  • ગીતાનું મૂલ્ય ભારત માટે જ નહીં વિશ્વ માટે પણ બહુ મહત્વપૂર્ણ: PM મોદી

નવી દિલ્હી: પીએમ મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના કિંડન વર્ઝનને લોન્ચ કર્યું હતું. આ પ્રસંગ પર પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના 5 લાખથી વધારે કોપીઓના વેચાણ બાદ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયો છે. સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાની હવે 5 લાખ કોપીઓ વેચાઇ ચૂકી છે. જેના સેલિબ્રેશન માટે આ ઇવેન્ટ રાખવામાં આવી હતી.

પીએમ મોદીએ આ દરમિયાન ગીતાના મહત્વને પણ પોતાના સંબંધોનના માધ્યમથી શેર કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગીતા કેવી રીતે મુશ્કેલ સમયમાં આપણી સાથે હોય છે. સાથે યુવાઓએ પણ ગીતા કેમ વાંચવી જોઇએ તે અંગે જણાવ્યું હતું. ગીતાનું મૂલ્ય ભારત માટે જ નહીં વિશ્વ માટે પણ બહુ મહત્વપૂર્ણ છે.

PM મોદીના સંબોધનના મહત્વના અંશો

  • ગીતા આપણને વિચારવા માટે મજબૂત કરે છે. આ આપણને સવાલ કરવા માટે પ્રેરિત કરે છે.  આ ચર્ચાને પ્રોત્સાહિત કરે છે અને આપણા દિમાગને ખુલ્લુ રાખે છે. ગીતાથી પ્રેરિત અનેક વ્યક્તિ હંમેશા સ્વભાવથી દયાળુ અને લોકતાંત્રિક થશે
  • યુવાઓમાં ઈ બુક્સ બહું પ્રસિદ્ધ થઈ રહી છે. આ પ્રયાસ ગીતાના વિચારોને વધારેમાં વધારે યુવાનોને જોડશ. આજની યુવા પેઢીને ભગવત ગીતા જરુર વાંચવી જોઈએ. ગીતા એ વિચારોનો રુપ છે જે પોતાને જીત તરફ લઈ જાય છે
  • ગીતા તમને મુશ્કેલીઓને પાર કરવાની શક્તિ આપે છે. ત્યાં સુધી કે આ કારોનાના સમયથી ગીતાના લોકોએ આ મહામારી સામે લડવાની શક્તિ આપી છે
  • પીએમે કહ્યું કે હાલના દિવસોમાં જ્યારે દુનિયાને દવાઓની જરુર હતી. ભારતે તેમને પ્રદાન કરવા માટે જે કંઈ પણ કવું પડ્યુ તે કર્યુ. દુનિયા ભરમાં મેડ ઈન ઈન્ડિયા રસી જઈ રહી છે. આપણે માનવતાની મદદ કરવાની સાથે તેમને સાજા કરવા જોઈએ ગીતા આપણને એમ શીખવે છે
  • આત્મનિર્ભર ભારતના મૂળમાં ધનની સાથે મૂલ્યો પેદા કરવાનું છે. ન ફક્ત પોતાના માટે પરંતુ માનવતા માટે અમે માનીએ છીએ કે એક આત્મનિર્ભર ભારત દુનિયા માટે બનવું યોગ્ય છે
  • મહાત્મા ગાંધી હોય કે પછી લોક માન્ય તિલક, દરેક કોઈ ગીતાથી પ્રભાવિત છે. ભગવત ગીતા આપણને વિચાર કરવા માટે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code