1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્ય ચૂંટણી પંચે આપ્યો સંકેત, જમ્મૂ કાશ્મીરમાં આગામી વર્ષ સુધીમાં યોજાઇ શકે ચૂંટણી
મુખ્ય ચૂંટણી પંચે આપ્યો સંકેત, જમ્મૂ કાશ્મીરમાં આગામી વર્ષ સુધીમાં યોજાઇ શકે ચૂંટણી

મુખ્ય ચૂંટણી પંચે આપ્યો સંકેત, જમ્મૂ કાશ્મીરમાં આગામી વર્ષ સુધીમાં યોજાઇ શકે ચૂંટણી

0
Social Share
  • મુખ્ય ચૂંટણી પંચે આપ્યા સંકેતો
  • આગામી વર્ષ સુધીમાં જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ શકે
  • અનુસૂચિત જનજાતિ માટે અલગ બેઠકો હશે

નવી દિલ્હી: ચૂંટણી પંચ જમ્મૂ કાશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે દરેક પક્ષો સાથે ચર્ચા કરી રહ્યું છે. આ બધા વચ્ચે શુક્રવારે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જમ્મૂ કાશ્મીરમાં સીમાંકનને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

સીમાંકન પંચ હાલમાં જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ સમયે મુખ્ય ચૂંટણી પંચના સુશીલ ચંદ્રા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જમ્મૂ કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ માટે પણ બેઠકો અનામત હશે. સાથે જ આવતા વર્ષે રાજ્યમાં ચૂંટણી પણ યોજાઇ શકે છે.

સુશીલ ચંદ્રાએ જાણકારી આપી છે કે અમે જમ્મૂ કાશ્મીરના બધા જ જીલ્લા અધિકારીઓ સાથે મુલાકાત કરી છે અને બધા જ અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. વર્ષ 1995માં જમ્મૂ કાશ્મીરમાં 12 જીલ્લાઓ હતા પણ હવે આ જીલ્લાઓ વધીને 20 જીલ્લાઓ થઇ ગયા છે. અમને ખાતરી છે કે માર્ચ 2022 સુધીમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. અમે આ વર્ષ 2011ની વસતીના આધારે સીમાંકન તરફ આગળ વધી રહ્યા છે.

આ એક જટિલ પ્રક્રિયા છે પરંતુ આ મહત્વપૂર્ણ કામ પણ છે. તેઓ જમ્મૂ કાશ્મીરમાં 7 સીટો જોડશે. સાથે જ ST કેટેગરી માટે પણ સીટો આરક્ષિત કરશે. આ સાથે જ 24 સીટો PoK માટે અલગ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code