1. Home
  2. ગુજરાતી
  3. રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે
રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

0
Social Share
  • તહેવારોની સિઝનમાં રેલવેના ગેઝેટડ કર્મચારીઓને મોદી સરકારની લ્હાણી
  • 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે
  • તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે

નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આમ તો ગણતરીના આધાર પર 72 દિવસનું બોનસ અપાય છે, પરંતુ આ વખતે 6 દિવસનું વધારાનું બોનસ અપાશે.

સરકારના આ નિર્ણયથી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓ લાભાન્વિત થશે. તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે. અતિ વિષમ સંજોગો હોવા છતાં સરકારે આ નિર્ણય લીધો છે. ટેક્સટાઇલ મંત્રાલય સાથે જોડાયેલા નિર્ણયની પણ અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી. તેમાં પાંચ વર્ષમાં 4445 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મોટા ફેરફારની આશા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ મિત્ર યોજનામાં 7 મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીજનલ એન્ડ અપેરલ પાર્ક તૈયાર કરાશે. તેનાથી 7 લાખ લોકોને પ્રત્યક્ષ અને 14 લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળવાની આશા છે. આ યોજનાને લઇને 10 રાજ્યોએ ઇચ્છા દર્શાવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code