1. Home
  2. ગુજરાતી
  3. અવમાનના અરજી પર ઇન્સોલ્વન્સી કોર્ટે અનિલ અંબાણી પાસે 10 દિવસમાં માંગ્યો જવાબ
અવમાનના અરજી પર ઇન્સોલ્વન્સી કોર્ટે અનિલ અંબાણી પાસે 10 દિવસમાં માંગ્યો જવાબ

અવમાનના અરજી પર ઇન્સોલ્વન્સી કોર્ટે અનિલ અંબાણી પાસે 10 દિવસમાં માંગ્યો જવાબ

0
Social Share

નેશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ એક અવમાનના અરજી પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પાસે 10 દિવસોમાં જવાબ માંગ્યો છે. માઇનોરિટી શેરહોલ્ડર્સે આ મામલે અરજી દાખલ કરી હતી. તેમણે અનિલ અંબાણી અને તેમના ગ્રુપની કંપનીઓના અધિકારીઓ પર બાકી રકમ નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો છે.

એચએસબીસી ડેઝી ઇન્વેસ્ટમેન્ટ્સ (મોરેશિયસ) અને બીજા માઇનોરિટી શેરહોલ્ડર્સનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ફ્રાટેલે 230 કરોડ રૂપિયાની ચૂકવણીમાં ડિફોલ્ટ કરીને અંડરટેકિંગનું ઉલ્લંઘન કર્યું.

અપેલેટ ટ્રિબ્યુનલે કહ્યું છે કે અનિલ અંબાણીનો જવાબ મળ્યા પછી એક અઠવાડિયાની અંદર અરજકર્તાઓ પોતાની વાત મૂકી શકશે. આ મામલે આગામી સુનાવણી 20 મેના રોજ થશે.

સુનાવણી દરમિયાન એચએસબીસી ડેઝીના વકીલે કહ્યું કે એનસીએલએટીએ 29 જૂન, 2018ના રોજ અંડરટેકિંગના સંબંધે આદેશ જાહેર કર્યો હતો. તેનું ઉલ્લંઘન કરવું કોર્ટની અવમાનના (કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ) છે.  

રિલાયન્સ ઇન્ફ્રાટેલ- એચએસબીસી ડેઝી અને અન્ય વચ્ચે એગ્રીમેન્ટની શરતો પ્રમાણે, અનિલ અંબાણીની કંપનીએ ચૂકવણી કરવાની હતી. એનસીએલએટીએ જૂન 2018માં આદેશ આપ્યો હતો કે 6 મહિનામાં ચૂકવણી કરવામાં આવે, પરંતુ રિલાયન્સ ઇન્ફ્રાટેલે રકમ ન ચૂકવી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code