
પલાડેલી બદામ સાથે ખાલી પેટ ક્યારેય ના ખાઓ ડ્રાયફ્રૂટ્સ, આ ભૂલ તમને ભારે પડશે
ખાલી પેટ ડ્રાય ફ્રૂટ આવા, સારી આદત છે. સવારના સમયે શરીરને પ્રોટીન, ફાઈબર અને એનર્જીની જરૂર હોય છે. એટલા માટે એક્સપર્ટ ખાલી પેટ ડ્રાય ફ્રૂટ ખાવાની સલાહ આપે છે. આના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. કમજોરી-થકાન દૂર થાય છે. અને કમજોરીમાં જીવ આવવા લાગે છે. આ સુપર ફૂડ હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
• ખલા પેટ પલાડેલી બદામ સાથે ના ખાઓ આ ડ્રાય ફ્રૂટ
બધા ડ્રાય ફ્રૂટ મોર્નિંગ માટે સારા નથી માનવામાં આવતા. ઘણી વાર લોકો બદામ-અખરોટ સાથે બીજા ડ્રાય ફ્રૂટ પલાડીને ખાવા લાગે છે. જે નુકશાન કરે છે. આવો જાણીએ, સવારના સમયે ક્યા ડ્રાય ફ્રૂટ ના ખાવા જોઈએ.
કિસમિસઃ કિસમિસને બીજા ડ્રાય ફ્રૂટ્સ સાથે કે ખાલી પેટે ક્યારેય ન ખાવું જોઈએ. રિપોર્ટ અનુસાર, તેમાં પોષણની સાથે સાથે નેચરલ શુગર પણ ભરપૂર હોય છે, ખાલી પેટે બ્લડ શુગર લેવલ વધારી શકે છે. અચાનક સ્પાઇક ડાયાબિટીસના દર્દીઓને હોસ્પિટલમાં મોકલી શકે છે.
સૂકા અંજીરઃ સૂકા અંજીર તમારા પેટ માટે ખૂબ સારા છે, તે કબજિયાતને દૂર કરવા માટે પણ જાણીતા છે. પરંતુ વધારે પ્રમાણમાં ફાઈબર અને સુગર હોવાને કારણે પેટ દુખાવો અને હાઈ બ્લડ શુગર થઈ શકે છે.
ખજૂરઃ ખજૂર ખાવાથી બ્લડ શુગરમાં ઝડપથી વધારો આવે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ સાથે ખાવાનું સેફ માનવામાં આવે છે, જેના કારણે તેની ખાંડ ધીમે ધીમે ઓગળી જાય છે