1. Home
  2. ગુજરાતી
  3. નોઈડા: કોરોનાના વધતા કેસ વચ્ચે ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ
નોઈડા: કોરોનાના વધતા કેસ વચ્ચે ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ

નોઈડા: કોરોનાના વધતા કેસ વચ્ચે ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ

0
Social Share
  • ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ
  • કોરોનાના વધતા કેસોને લઈને લેવાયો નિર્ણય
  • લાગ્યા આ પ્રતિબંધો

દિલ્હી:કોરોનાના વધતા જતા કેસોને જોતા ગૌતમ બુદ્ધ નગરમાં હવે 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરેટ ઓફિસ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લામાં 1 મેથી કલમ 144 લાગુ કરવામાં આવી છે.આવી સ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના કોઈપણ જાહેર સ્થળે વિરોધ કે ભૂખ હડતાળને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે સાર્વજનિક સ્થળોએ પૂજા અને પ્રાર્થનાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

આદેશ અનુસાર, શાળાઓમાં ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવામાં આવશે તેનું ધ્યાન રાખવામાં આવશે.પરીક્ષા દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે.પરીક્ષા કેન્દ્રોના પરિસર અને આસપાસના વિસ્તારોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ રહેશે. દુકાનદાર ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના લાઉડ સ્પીકર અથવા આવા કોઈપણ સાધનો ભાડે આપશે નહીં અથવા વેચશે નહીં.

ગતિ ભલે ધીમી હોય પરંતુ યુપીમાં પણ કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે 269 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. 218 સંક્રમિતો સાજા પણ થયા છે. હવે રાજ્યમાં 1587 એક્ટિવ કેસ છે. નવા મળી આવેલા દર્દીઓમાં ગૌતમ બુદ્ધ નગરમાં 117, ગાઝિયાબાદમાં 55, લખનઉમાં 26 અને આગ્રામાં 15 દર્દીઓ મળી આવ્યા છે. અન્ય જિલ્લાઓમાં 10 થી ઓછા દર્દીઓ મળી આવ્યા છે. ચંદૌલીમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં લોકોને 31.48 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code