1. Home
  2. ગુજરાતી
  3. દૂરદર્શન ડીડી ગિરનાર પર ધો. 3થી 12ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરાશે
દૂરદર્શન ડીડી ગિરનાર પર ધો. 3થી 12ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરાશે

દૂરદર્શન ડીડી ગિરનાર પર ધો. 3થી 12ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શરૂ થયેલા બ્રિજ કોર્સ 17 જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ હવે 22 જુલાઈથી ધો.3થી 12ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન પર હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. હાલમાં 31 જુલાઈ સુધીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળના મહિનાનો કાર્યક્રમ જાહેર કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 7 જૂન, 2021થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવા સત્રના પ્રારંભ સાથે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણના બદલે ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે. જ્યારે ધો.12માં હવે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં નવા સત્રના પ્રાંરભ સાથે બ્રિજકોર્ષની પણ સરકારના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને ગતવર્ષનો અભ્યાસક્રમ ભણાવવામાં આવવાનો હતો. 10 જૂનથી 17 જુલાઈ સુધી બ્રિજ કોર્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે હોમલર્નિંગ અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવાનું નક્કી કરાયું છે.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધો.3થી 5, ધો.6થી 8 અને ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી વિષયવસ્તુ આધારિત વીડિયો- શૈક્ષણિક પાઠ ટીવીના માધ્યમથી 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે. ધો.3થી 12ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન ડીડી ગિરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત થનારા શૈક્ષણિક વીડિયોનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. દૂરદર્શન પર સવારે 9થી 9-30 વાગ્યે ધો.3ના કાર્યક્રમો પ્રસારિત કરાશે. જ્યારે 9-30થી 10માં ધો.4, 10થી 10-30માં ધો.5, 10-30થી 11 દરમિયાન ધો.6, 11-30થી 12 વચ્ચે ધો.7, 2-30થી 3માં ધો.8, 12થી 1 વચ્ચે ધો.9 અને 10 અને ધો.3થી 4માં ધો.11 અને 12ના ક્લાસનું પ્રસારણ કરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code