1. Home
  2. ગુજરાતી
  3. એક દેશ એક ચૂંટણીથી દેશની જનતાને થશે ફાયદોઃ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી
એક દેશ એક ચૂંટણીથી દેશની જનતાને થશે ફાયદોઃ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી

એક દેશ એક ચૂંટણીથી દેશની જનતાને થશે ફાયદોઃ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી

0
Social Share

લખનૌઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક દેશ, એક ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવાથી ઘણી સગવડતા મળશે. આ પગલુ રાષ્ટ્રીય હિતમાં હશે. હું તમામ રાજકીય પક્ષોને આ મુદ્દે ચર્ચા કરવા અને સર્વસંમતિ પર પહોંચવા વિનંતી કરું છું.

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા કોવિંદે વધુમાં કહ્યું કે, ‘જો દેશમાં ચૂંટણી થાય છે, તો તેનાથી કેન્દ્રમાં સત્તામાં રહેલી પાર્ટીને ફાયદો થશે, પછી તે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) હોય, કોંગ્રેસ હોય અથવા અન્ય કોઈ રાજકીય પક્ષ. જો કે, એક દેશ એક ચૂંટણીના પગલાથી દેશની જનતાને સૌથી વધુ ફાયદો થશે અને એક સાથે ચૂંટણીથી નાણાં બચાવશે, આ બચેલી રકમનો દેશના વિકાસમાં ઉપયોગ થશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે એકસાથે ચૂંટણીઓ માટે રચાયેલી તમામ સંસદીય પેનલો, નીતિ આયોગ અને ભારતીય ચૂંટણી પંચ સહિત ઘણી સમિતિઓએ એક સાથે ચૂંટણી યોજવાના સમર્થનમાં તેમના અહેવાલો સબમિટ કર્યા છે. સ્વતંત્ર ભારતમાં, 1952માં પ્રથમ ચૂંટણીઓથી લઈને 1967 સુધી સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજવામાં આવતી હતી, પરંતુ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ તેમની મુદત પૂરી થાય તે પહેલાં વિસર્જન કરાતી હતી. જેથી રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાવા લાગી.

મોદી સરકારે એક દેશમાં એક ચૂંટણી કરાવવા માટે એક કમિટીની રચના કરી હતી. કોવિંદે કહ્યું કે, સરકારે મને આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યો છે. કોવિંદે કહ્યું કે, સમિતિના સભ્યો જનતાની સાથે આ પરંપરાને ફરીથી લાગુ કરવા અંગે સરકારને સૂચનો આપશે. કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ દેશના તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને દેશભરમાં એકસાથે વિધાનસભા અને રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજવા અંગે તેમના મંતવ્યો રજૂ કરવા ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code