1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાને પોતાના દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકોને 1 નવેમ્બર સુધી દેશ છોડવા આપ્યો આદેશ
પાકિસ્તાને પોતાના દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકોને 1 નવેમ્બર સુધી દેશ છોડવા આપ્યો આદેશ

પાકિસ્તાને પોતાના દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકોને 1 નવેમ્બર સુધી દેશ છોડવા આપ્યો આદેશ

0
Social Share

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં સતત આત્મઘાતી હુમલા બાદ તાલિબાન સાથે તેનો સંઘર્ષ વધી રહ્યો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી સંગઠનો મોટાભાગના હુમલાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં, તાલિબાન સરકારે તે નેતાઓ સામે પગલાં લેવાનું યોગ્ય માન્યું ન હતું. આથી હવે પાકિસ્તાને તાલિબાનને ઘૂંટણિયે લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ અનુસાર, પાકિસ્તાનની કેરટેકર ફેડરલ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન શરણાર્થીઓને 1 નવેમ્બર સુધીમાં પાકિસ્તાન છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેમને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ આમ નહીં કરે તો તેમને બળજબરીથી દેશનિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમની સામે અન્ય કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ઇમિગ્રન્ટ્સ માટે દેશ છોડવાની અથવા અન્યથા દેશનિકાલનો સામનો કરવાની અંતિમ તારીખ નવેમ્બર 1 નક્કી કરવામાં આવી છે.

ઈસ્લામાબાદમાં ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક બાદ, રખેવાળ સરકારમાં ગૃહ પ્રધાન સરફરાઝ બુગતીએ સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં રહેતા ઈમિગ્રન્ટ્સ માટે દેશ છોડવાની અંતિમ તારીખ 1 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. બુગતીએ કહ્યું કે આ મિશનને આગળ લઈ જવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે, જે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે. મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જે પાસપોર્ટ વિના પણ લોકોને પ્રવેશવાની મંજૂરી આપે છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ગેરકાયદેસર વસાહતીઓ નિર્ધારિત તારીખ સુધીમાં પાકિસ્તાન નહીં છોડે તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code