1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહનું રાજીનામું
ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહનું રાજીનામું

ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહનું રાજીનામું

0
Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ કાંઠે વધી રહેલી હિંસા અને ગાઝામાં યુદ્ધને કારણે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે પેલેસ્ટાઇન પર ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે તેનું શાસન અને વ્યવસ્થા સુધારવા માટે યુનાઇટેડ સ્ટેટ્સનું દબાણ છે.

પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસને પોતાનું રાજીનામું સુપરત કરતી વખતે પ્રધાનમંત્રી શ્તયેહે અનેક કારણો દર્શાવ્યા હતા. આમાં પશ્ચિમ કાંઠે અને જેરુસલેમમાં વધતો તણાવ, ગાઝા પટ્ટીમાં યુદ્ધ, હત્યાકાંડ અને ભૂખમરોનો સમાવેશ થાય છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં 29,782 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 70,43 ઘાયલ થયા છે. ઓક્ટોબર મહિનામાં ગાઝા સ્થિત હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસીને ખુની ખેલ ખેલ્યો હતો. જેમાં ઈઝરાયલના 1200થી વધારે નાગરિકોના મોત થયાં હતા. જેથીના નારાજ ઈઝરાયલના વડાપ્રધાને હમાસનો ખાતમો બોલાવવાનો હુંકાર કર્યો હતો. જે બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code