1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે
બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે

બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે

0
Social Share
  • બ્રિટનના પીએમ આવશે ભારતના પ્રવાસે
  • એપ્રિલના અંતમાં લેશે ભારતની મુલાકાત
  • હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર કરશે ધ્યાન કેન્દ્રિત

દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનથી બહાર આવ્યા બાદ ભારતની યાત્રા તેમના માટે પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય પ્રવાસ બનશે. જોનસનની ભારત યાત્રા એ ક્ષેત્રમાં બ્રિટનની તકો વધારવાનો પ્રયાસ છે. બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયએ સોમવારે આ અંગે માહિતી આપી હતી.

બ્રિટિશ પીએમ જોનસને જાન્યુઆરીમાં ભારત આવવાની યોજના બનાવી હતી. પરંતુ યુકેમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને તેને આ યાત્રા રદ કરવી પડી હતી. હકીકતમાં આ પ્રવાસના ભાગ રૂપે બ્રિટન ભારત સાથેની તેની વ્યાપાર વાટાઘાટોને પ્રોત્સાહન આપવા માગે છે. તે સમયે,તેમના કાર્યાલયે કહ્યું હતું કે, જૂનમાં યોજાનારી G-7 શિખર સમ્મેલન પહેલા જોનસન ભારતની મુલાકાત લઇ શકે છે. આ માટે તૈયારીઓ કરવામાં આવી શકે છે.

જોનસનની સરકારે કહ્યું કે, તે આગામી વર્ષો માટેની સરકારી નીતિની એકીકૃત સમીક્ષાના ભાગ રૂપે ભારત-પેસિફિક ક્ષેત્ર પર તેનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ ક્ષેત્ર વિશ્વના ભૌગોલિક રાજકીય કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે. ગયા મહિને બ્રિટને કોમપ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશીપમાં જોડાવા માટે ઓપચારિક વિનંતી કરી હતી.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code