પીએમ મોદીએ બ્રિટનના પ્રઘાનમંત્રી સુનક સાથે ફોન પર કરી વાતચીત, આ મુદ્દા ઓ પર કરી ચર્ચા
દિલ્હીઃ છેલ્લા મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિશ્વના અનેક નેતાઓ આ યુદ્ધને લઈને ચિંતા દર્શાવી રહ્યા છે આવી સ્થિતિમાં પ્રઘાનમંત્રી મોદી અને બ્રિટનના વડાપ્રઘાન ઋષિ સુનકે હમાસ યુદ્ધને લઈને વાતચીત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ વિતેલા દિવસને મોદીએ શુક્રવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ચાલી રહેલી વાટાઘાટોની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.આ સાથે જ આ વાતચીત દરમિયાન બંને નેતાઓ સહમત થયા કે આ સમજૂતીથી બંને દેશોને ફાયદો થશે.
એટલું જ નહી પીએમ મોદી અને સુનક બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની ચિંતાજનક સ્થિતિ અંગે ચર્ચા કરી અને ઇઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરી.બન્ને નેતાઓની આ ટેલિફોનિક વાતચીતને લઈને વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોના જીવ ગુમાવવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
આ સાથે જ નિવેદનમાં કહેવામાં આવ્યું કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત માટે પીએમ મોદીને સુનકે અભિનંદન પાઠવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉભરતી ટેક્નોલોજી, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય અને અન્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.આ સહીત પીએમ મોદીએ સુનકને બ્રિટનના વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉભરતી ટેક્નોલોજી, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય અને અન્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
સોશિયલ મીડીયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે વાત કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વાત કરી. અમે સંમત છીએ કે આતંક અને હિંસા માટે કોઈ સ્થાન નથી. નાગરિકોના મૃત્યુ એ ગંભીર ચિંતાનો વિષય છે. પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાય તરફ કામ કરવાની જરૂર છે.