‘મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021’ નું પીએમ મોદી કરશે ઉદ્ધાટન- 50થી વધુ દેશના 1 લાખથી પણ વધુ લોકો ભાગ લેશે
- પીએમ મોદી કરશે મેરીટાઈમ ઈન્ડિયા સમિટનું ઉદ્ધાટન
- 1 લાખથી વધુ લોકો ઓનલાઈન જોડાશે
- 50 દેશના લોકો લેશે ભાગ
દિલ્હી – આજે મંગળવારના રોજ 11 કલાકે સવારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021 નું ઉદઘાટન કરશે. કોરોનાને કારણે, આ કાર્યક્રમ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 50 થી વધુ દેશોના એક લાખથી વધુ સહભાગીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
At 11 AM tomorrow, 2nd March, the Maritime India Summit would be inaugurated. This Summit brings together key stakeholders from the maritime sector and will play a leading role in furthering the growth of India’s maritime economy.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
પીએમ મોદીએ વિતેલા દિવસને સોમવારે મોડી રાત્રે આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું ઉદ્ઘાટન આવતીકાલે 2જી માર્ચના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે. આ સમિટ સમુદ્રી ક્ષેત્રના તમામ સહભાગીઓને એકસાથે લાવશે અને ભારતની દરિયાઇ અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ સંમેલનનું આયોજન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 2જી તારીખથી લઈને 4 માર્ચ દરમિયાન ડિજિટલ માધ્યમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડેનમાર્ક આ ત્રણ દિવસીય સમિટ માટે ભાગીદાર દેશ છે.
કેન્દ્રીય બંદરોના સ્વતંત્ર પ્રભારી વહાણ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાનું આ અંગે કહવું છે કે, આ સમિટ ભારતને દરિયાઇ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દેશના તમામ બંદરોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, મેરીટાઈમ વિઝન ઘડવામાં આવ્યો છે.આ સમિટમાં 50 દેશના 1 લાખ 17 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે,જેમાં કેટલાક દેશઓના રાદૂત પણ સામેલ થશે, સમગ્ર વિશ્વ ભારતના દરિયાઈ ક્ષેત્રમાં રોકામ કરવા માંગે છે
સાહિન-