1. Home
  2. ગુજરાતી
  3. ચક્રવાત બિપરજોયને લઈને આજે બપોરે પીએમ મોદી કરશે બેઠક – પરિસ્થિતિને પહોંચીવળવાની તૈયારીઓનું નિરીક્ષણ કરશે,
ચક્રવાત બિપરજોયને લઈને આજે બપોરે  પીએમ મોદી કરશે  બેઠક – પરિસ્થિતિને પહોંચીવળવાની તૈયારીઓનું નિરીક્ષણ કરશે,

ચક્રવાત બિપરજોયને લઈને આજે બપોરે પીએમ મોદી કરશે બેઠક – પરિસ્થિતિને પહોંચીવળવાની તૈયારીઓનું નિરીક્ષણ કરશે,

0
Social Share
  • ચક્રવાત બિપરજોયને લઈને  પીએમ મોદી કરશે બેઠક 
  •  તૈયારીઓનું નિરીક્ષણ કરશે

દિલ્હીઃ- ચક્રવાત બિપરજોયને લઈને દેશના દરિયાકાઠાંઓ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ,સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની અને લોકોને દરિયા પાસે ન જવાની સૂચના આપવામાં આવી છે ત્યારે હવે ચક્રવાત બિપરજોયને લઈને આજરોજ બપોરે 1 વાગ્યે પીએમ મોદી તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે એક ખાસ બેઠક યોજવાના છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ ચક્રવાતને લઈને ચિંતા કરી છે અને આજરોજ સોમવારે બપોરે 1 વાગ્યે ચક્રવાત બિપરજોય અંગે સમીક્ષા બેઠક કરવાનો નિર્ણય લીધો છે આ બેઠકમાં તેઓ સમગ્ર દરિયાકાઠાંઓ વિસ્તારમાં એનડીઆરએફની ટિન તૈનાત છે કે કેમ ,જો કઈ પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે પહોંચી વળાશે આ તમામ બાબતોની સમિક્ષા કરશે

આ બેઠકમાં ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે એનડીઆરએફ  સાથે જોડાયેલ એજન્સીઓ અને અધિકારીઓ આપત્તિ અને રાહત કામગીરીની આ બેઠકમાં સામેલ કરવામાં આવશે.

જો કે હવામાન વિભાગની આગાહી થઈ છે ત્યારથી દેશના ઘણા રાજ્યોને એલર્ટ અપાઈ ચૂક્યું છે જેથી કરીને કોઈ ઘટનાનો શિકાર ન બને આજે મુંબઈમાં ચક્રવાત બિપરજોયે કહેર ફેલાવ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે.

ઉલ્લેખનીય છે ક ેદેશમાં જ્યારે પણ કોઈ પણ આપત્તિ કે આપદા આવી પડે થે તે પહેલા પીએમ મોદી બેઠક યોજીને તૈયારીઓનું નિરિક્ષણ કરે છએ અને બનતા તમામ પ્રયોસે કરે છે કે આ આપત્તિમાં કોઈ ભોગ ન બને ત્યારે હવે પીએમ મોદી ચક્રવાત બિપરજોયને લઈને પણ તૈયારીઓનું નિરિક્ષણ કરશે.અને આપદાને પહોંચી વળવા માટેની સૂચનાઓ આદેશ જારી કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code