Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોદીએ પાંડેને દેશના અગ્રણી યોદ્ધા ગણાવીને તેમની પ્રશંસા કરી જેમણે બ્રિટિશ શાસનને પડકાર ફેંક્યો હતો.

X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેઓ દેશના અગ્રણી યોદ્ધા હતા જેમણે બ્રિટિશ શાસનને પડકાર ફેંક્યો હતો. તેમની હિંમત અને બહાદુરીની વાર્તા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.”