1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે -ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ, કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે -ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ, કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે -ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ, કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

0
Social Share
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે
  • ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ
  • કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

લખનૌઃ- આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મથુરાની મુલાકાતે છે ત્યારે તેમની સુરક્ષા ધ્યાનમાં રાખીને આજરોજ ભક્તો માટે બાંકેબૂિહારીના દર્શન બંધ રાખવામાં આવ્યા છે,પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા માટે ફુલ પ્રૂફ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. 

આજરોજ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે કલાકના કાર્યક્રમના ભાગરૂપે વૃંદાવન આવી રહ્યા છે. રાજ્યના રાજ્યપાલ આનંદી બેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરવા આવી રહ્યા છે. તેમના આગમન માટે, સ્થાનિક પોલીસ પ્રશાસન સુરક્ષા વ્યવસ્થા ગોઢવાઈ છે.

કૃષ્ણ કુટીર આશ્રય સદન ખાતે એરકન્ડિશન્ડ પંડાલમાં આયોજિત કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમારોહ માટે મહિલાઓને આમંત્રિત કરવામાં આવી છે. જેમાંથી 137 મહિલાઓ કૃષ્ણ કુટીરની છે. બાકીની મહિલાઓ અન્ય શેલ્ટર હોમની રહેવાસી છે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાંસદ હેમા માલિની, જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

 બે કલાકના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ હેલિપેડથી બિહારી મંદિરની મુલાકાત લેશે અને કૃષ્ણકુટિર રામતાલમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંદર્ભે, રવિવારે એડીજી આગ્રા ઝોન રાજીવ ક્રિષ્નાએ જીએલએમાં સુરક્ષામાં રોકાયેલા પોલીસ કર્મચારીઓના અધિકારીઓને માહિતી આપી.

ઠાકુર બાંકે બિહારીના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ સવારે 10.55 કલાકે કૃષ્ણ કુટીર આશ્રય સદન પહોંચશે. અહીં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ માતાઓ સાથે વાર્તાલાપ કરશે  બપોરે 12.15 વાગ્યે દિલ્હી પરત ફરશે.

કાર્યક્રમ સ્થળના વિસ્તાર અને બાંકે બિહારી જી સુધીના રસ્તા પર પોલીસ-પીએસી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.સુરક્ષાના દૃષ્ટિકોણથી, વૃંદાવન શહેરને સાત ઝોન અને 20 સેક્ટરમાં વિભાજીત કરીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ તેમના કામમાં વ્યસ્ત છે

જિલ્લાધિકારી નવનીત સિંહ ચહલે જણાવ્યું કે રાષ્ટ્રપતિ વૃંદાવનમાં લગભગ અઢી કલાક રોકાશે. આ દરમિયાન સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી શહેરનો વાહનવ્યવહાર બંધ રહેશે. રાષ્ટ્રપતિના વિદાય બાદ જ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code