Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂરા થયાની પ્રશંસા કરી છે, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

“આજે, અમે સ્વચ્છ ભારતનાં 10 વર્ષ ઉજવીએ છીએ, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે. હું તે તમામ લોકો વંદન કરું છું જેઓએ આ આંદોલનને સફળ બનાવવા માટે કામ કર્યું છે.!”