1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ જશે ભૂતકાળઃ પાણીના નિકાલ માટે અપનાવાઈ આ પદ્ધતિ
રાજકોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ જશે ભૂતકાળઃ પાણીના નિકાલ માટે અપનાવાઈ આ પદ્ધતિ

રાજકોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ જશે ભૂતકાળઃ પાણીના નિકાલ માટે અપનાવાઈ આ પદ્ધતિ

0
Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. જેથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠે છે. જો કે, રાજકોટના મ્યુનિ કમિશનર અમિત અરોરાએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નવી ટેકનિક અપનાવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ અત્યાર સુધી માત્ર ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવા માટે થયો હતો. જો કે, મ્યુનિ. કમિશનરે આ સીસીટીવી કેમેરાનો ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ ખાતરી આપી હતી કે, રાજકોટવાસીઓને હવે ખુબજ નજીકના ભવિષ્યમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદના પાણી ભરાય છે તેને અલગ અલગ ત્રણ ઝોનમાં વહેંચી દીધા છે. હવે વરસાદી પાણીના નિકાલ માટે પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ શહેરમાં સાંબેલાધારે વરસેલા વરસાદમાં આ નવતર અભિગમ શરૂ કરી દેવામાં આવ્યો છે.  જે રોડ પર વરસાદના પાણી ભરાય તેનો ફોટો પાડી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ પરથી કોર્પોરેશનના અધિકારીઓના ગ્રુપમાં મુકવામાં આવે છે અને ફોટો ક્યાં વોર્ડ અને ક્યાં વિસ્તારનો છે તેની પણ સંપૂર્ણ માહિતી તેમાં આપવામાં આવે છે. ડીએમસીથી લઈ વોર્ડ એન્જીનીયર સુધીના અધિકારીઓમાં આ વિસ્તાર આવતો હશે તેને નિયત સમય મર્યાદામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગેના ફોટા વોટ્સએપ ગ્રુપમાં મુકવાના રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code