1. Home
  2. ગુજરાતી
  3. આઠ ફૂટ ઊંચા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે રામલલા, 15 ડિસેમ્બર સુધી આ કાર્ય થશે પૂર્ણ
આઠ ફૂટ ઊંચા સુવર્ણ  સિંહાસન પર બિરાજમાન થશે રામલલા, 15 ડિસેમ્બર સુધી આ કાર્ય થશે પૂર્ણ

આઠ ફૂટ ઊંચા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે રામલલા, 15 ડિસેમ્બર સુધી આ કાર્ય થશે પૂર્ણ

0
Social Share
અયોધ્યાઃ અયોધ્યામાં બનનારું રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે,આતુરતાથી રામ ભક્તો મંદિરની રાહ જોઈ રહ્યા છે ત્યારે રામલલાના બિરાજમાનની તૈયારીઓ પમ પુર જોશમાં ચાલી રહી છે.
જાણકારી પ્રમાણે  નવા મંદિરમાં ભગવાન શ્રી રામ આઠ ફૂટ ઊંચા સોનાના સિંહાસન પર બિરાજમાન થશે. આ માટે રાજસ્થાનમાં આરસનું સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સિંહાસનને સોનાથી લેપ કરવામાં આવશે. વઘુમાં તે 15 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે.
આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ વચ્ચે રામ મંદિર નિર્માણનું કામ તેજ કરી દેવામાં આવ્યું છે. જરૂરિયાત મુજબ કામદારોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.રામ મંદિરનો ભોંયતળિયું 15 ડિસેમ્બર સુધીમાં તમામ સંજોગોમાં તૈયાર કરી લેવું પડશે.
આ સાથે જ પ્રથમ માળનું કામ પણ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવનાર સિંહાસન ત્રણ ફૂટ ઊંચું, આઠ ફૂટ લાંબુ અને ચાર ફૂટ પહોળું હશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય એ કહ્યું કે રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરિક્રમા માર્ગનું ફ્લોરિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. હવે ગૃહ મંડપના ફ્લોર પર માર્બલ નાખવાનું કામ ચાલી રહ્યું છે.
દાનને લીને તેમણે કહ્યું કે  રામ ભક્તોએ મોટી માત્રામાં સોના-ચાંદીની વસ્તુઓ પણ દાનમાં આપી છે. ટ્રસ્ટની રચના પહેલા દાનમાં આપેલી સોના-ચાંદીની વસ્તુઓ, સિક્કા અને ઈંટો વગેરેને ઓગાળવામાં આવશે. દાનમાં મળેલી વસ્તુઓને સુરક્ષિત રાખવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેમને પીગળીને સુરક્ષિત રાખવામાં આવશે. આ કાર્ય પ્રતિષ્ઠિત સંસ્થાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે
વઘુમાં જણાવ્યું કે પેસેન્જર સુવિધા કેન્દ્રના ત્રણેય માળની છત પડી ગઈ છે. સુરક્ષા સાધનો પણ લગાવવામાં આવી રહ્યા છે. રામમંદિરના પ્રવેશદ્વારનું કામ પણ અંતિમ તબક્કામાં છે, અહીં માત્ર છત નાખવાની બાકી છે. આ કામ પણ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.
પહેલા માળના 17 પિલર લગાવવામાં આવ્યા છે. માત્ર બે પિલર લગાવવાના બાકી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 15 ડિસેમ્બર સુધીમાં પ્રથમ માળની છત પણ બની જશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરનું 70 ટકા કામ પૂર્ણ થવાની સંભાવના છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code