Site icon Revoi.in

સુરક્ષા પડકારો સામે વાસ્તવિક સમયની તૈયારી જરૂરી : રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળોને વાસ્તવિક સમયની તૈયારી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે નવી દિલ્હીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ બહુપરીમાણીય જોખમો માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ.

રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં પડકારો વધુ ગતિશીલ બન્યા છે, જેના કારણે સ્વચાલિત પ્રતિભાવ પ્રણાલીઓને એકીકૃત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. તેમણે ખાસ કરીને ઉમેર્યું કે ઇલેક્ટ્રોનિક યુદ્ધ હવે માત્ર કલ્પના નહીં પરંતુ એક વાસ્તવિકતા બની ગયું છે, જેના માટે દળોને આધુનિક સ્તરે સજ્જ થવું આવશ્યક છે.