1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ: આશ્રમ રોડ પર શરૂ કરાયેલી માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટની 3 કિમીની કામગીરી કરાઇ પૂર્ણ
અમદાવાદ: આશ્રમ રોડ પર શરૂ કરાયેલી માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટની 3 કિમીની કામગીરી કરાઇ પૂર્ણ

અમદાવાદ: આશ્રમ રોડ પર શરૂ કરાયેલી માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટની 3 કિમીની કામગીરી કરાઇ પૂર્ણ

0
Social Share
  • આશ્રમ રોડ પર વાડજ સર્કલથી શરૂ કરાયેલા માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટમાં 3 કિમીની કામગીરી પૂર્ણ
  • 1400 એમએમ ડાયામીટરની પાઇપલાઇન પણ ગોઠવવામાં આવી
  • આશ્રમ રોડ પર હાથ ધરાયેલા માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટને ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની યોજના

અમદાવાદ: શહેરના પશ્વિમ વિસ્તારમાં આશ્રમરોડ પર વિકાસનો અંદાજ મૂકતા તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી-ગટર સહિતની પ્રાથમિક સુવિધાને વધુ સારી બનાવવા માટે મ્યુનિસિપાલિટી દ્વારા આશ્રમ રોડની નીચે માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આશ્રમ રોડ પર વાડજ સર્કલથી શરૂ કરાયેલા માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટમાં 3 કિમીની કામગીરી પૂર્ણ કરાઇ છે તેમજ 1400 એમએમ ડાયામીટરની પાઇપલાઇન પણ ગોઠવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટથી આશ્રમ રોડની વર્તમાન ગટર લાઇન અથવા રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટર લાઇનને કોઇ અસર થશે નહીં તેમજ તેમાં આવતા ગટરના પાણીના જથ્થામાં કોઇ વધારો થશે નહીં. સૂત્રોનુસાર, આશ્રમ રોડ પર હાથ ધરાયેલા માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટને ઓગસ્ટ સુધીમાં પૂરો કરીને કાર્યરત કરવા માટે ઝડપી કામગીરી ચાલી રહી છે.

અમદાવાદના વાડજ સર્કલથી પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા સુધી માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટને આગળ જતાં રિવરફ્રન્ટ થઇ નવા બનનારા એસટીપીની સાથે જોડવામાં આવશે. એક વખત આ પ્રોજેક્ટ કાર્યરત થતાં પશ્વિમમાં ગટર લાઇનને સંબંધિત પ્રશ્નોનો લગભગ ઉકેલ આવી જશે.

જ્યારે શહેરના નરોડાથી નારોલ સુધીના પૂર્વ પટ્ટામાં ગટરના પાણીની સમસ્યા વિકટ છે અને તેમાં વધતા જતા વિકાસના પગલે આગામી વર્ષોના આયોજનના ભાગરૂપે નારોલ-નરોડા હાઈવે ઉપર પણ માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code