1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા સ્વ. ડૉ. અમૃત કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા સ્વ. ડૉ. અમૃત કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા સ્વ. ડૉ. અમૃત કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન

0
Social Share
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન
  • શ્રદ્વાંજલિ સભાનું આયોજન, શુક્રવારે સાંજે 5.30 કલાકે કરવામાં આવ્યું છે
  • શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યની વિશેષ ઉપસ્થિતિ રહેશે

અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક તરીકે સેવા આપીને લોકચાહના મેળવનારા અમૃતભાઇ કડીવાળાનું થોડા સમય પહેલા કોરોનાને કારણે નિધન થયું હતું. તેમના નિધન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગુજરાત પ્રાંતના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડૉ. અમૃતભાઇ કડીવાળાના નિધન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્વાંજલિ સભાનું આયોજન તારીખ 25, જૂન, 2021 એટલે કે શુક્રવારના રોજ સાંજે 5.30 કલાકે કરવામાં આવ્યું છે.

શ્રદ્વાંજલિ સભાનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, કર્ણાવતી વિભાગના કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન, કાંકરિયા ખાતે કરવામાં આવ્યું છે. શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કર્ણાવતી મહાનગરના સંઘચાલક મહેશ પરીખ નિમંત્રક છે.

આ શ્રદ્વાંજલિ સભા માત્ર નિમંત્રિતો માટે મર્યાદિત હોવાથી બાકીના ભાઇઓ-બહેનો વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતની યુટ્યૂબ ચેનલના માધ્યમથી જોડાઇને શ્રદ્વાંજલિ અર્પણ કરી શકે છે.

આ લિંક પર ક્લિક કરીને સભામાં જોડાઇ શકો છો – https://www.youtube.com/user/vskguj

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code