1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંની 2500 બોરીની આવક, પ્રતિ 20 કિલોના ભાવ 12000 બોલાયા
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંની 2500 બોરીની આવક, પ્રતિ 20 કિલોના ભાવ 12000 બોલાયા

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંની 2500 બોરીની આવક, પ્રતિ 20 કિલોના ભાવ 12000 બોલાયા

0
Social Share

મહેસાણા:  જીરૂંની ખરીદી માટે દેશભરમાં જાણીતા એવા ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે ગુરૂવારે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં હાલ જીરુંનાં ભાવે તમા રેકર્ડ તોડ્યા છે. ગુરૂવારે જીરૂંના ભાવ 12,010 સુધી પહોંચ્યા હતા. જીરુંના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ઊંઝા ગંજબજારમાં અજમાની સીઝન અંદાજીત 2000 થી 2500 બોરીની આવક રહી છે. આ સાલ વાવેતર ઓછું છે. તેમજ માવઠાના મારને કારણે ભાવમાં સુધારો જોવાયો છે. અજમાના ભાવ ગત વર્ષે રૂપિયા 1200 થી 2800 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે મહિના પહેલા અજમાના ભાવ રૂપિયા 2000 થી 2400 રૂપિયા સુધીના રહ્યા હતા. જ્યારે ગુરૂવારે અજમાના ભાવ સરેરાશ રૂપિયા 1600 થી 3382 સુધીના જોવા મળ્યા હતા. યાર્ડમાં અજમાના ભાવમાં રૂપિયા 400 નો વધારો જોવા મળ્યો હતો. અજમાની આવક મહેસાણા જિલ્લામાંથી આવી રહી છે. જ્યારે જામનગરના અજમાના ભાવ રૂપિયા 3824 થી 4500 ના રહેવા પામ્યા છે. છેલ્લા એક માસમાં અજમાના ભાવમાં રૂપિયા 500 નો સુધારો જોવા મળ્યો હતો.સાથે સાથે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંના ભાવ 9900 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ રૂપિયા 12,010 પ્રતિ મણ બોલાયા હતા.વરીયાળીનો ભાવ 3255 થી 5900 જોવા મળ્યો હતો.

ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલનો નીચો ભાવ રૂપિયા 3920 થી 5100 રૂપિયા પ્રતિ મણ સુધીનો નોધાયો હતો. સાથે સાથે રાયડા અને સવાની પણ આવક ઉંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી.જેમાં રાયડાનો ભાવ આજે 960 થી 1092 પ્રતિ મણ નોધાયો હતો ,તલના ભાવ 2580 થી 3010 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code