1. Home
  2. ગુજરાતી
  3. એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?
એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?

એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?

0
Social Share

હાલમાં એન્ટાર્કટિકામાં જે સ્થિતિ બની રહી છે તેને લઈને વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાય છે. સ્થિતિ એવી છે કે એન્ટાર્કટિકામાં આ વખતે રેકોર્ડ બ્રેક બરફ પીગળ્યો છે. જો કે દર વર્ષે ત્યા બરફ પીગળે છે પણ આ વર્ષે જે પ્રમાણમાં બરફ પીગળ્યો છે તે ચિંતાનો વિષય છે. આ વખતે જે પ્રમાણે બરફ પીગળ્યો છે તે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરના જણાવ્યા મુજબ વર્ષ 2022 કરતા આ વર્ષે બરફની માત્રા 1.6 મિલિયન કિલોમીટર ઓછો છે. આ ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો આ સમગ્ર દક્ષિણ અમેરિકા કરતા પણ મોટો વિસ્તાર છે. આ પ્રકારની ઘટનાથી ધીમે ધીમે દરિયામાં જળસ્તર વધી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં અનેક શહેરો તથા દેશ પાણીની ઝપેટમાં આવી શકે છે. આ બધી ઘટના થવા પાછળનું કારણે ગ્લોબલ વોર્મિગ છે તેવુ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ પ્રકારની ઘટનાઓ લાખો વર્ષમાં ક્યારેક જ જોવા મળે છે. આ ઘટનાને સામાન્ય સમજવી જોઈએ નહી, પણ હાલમાં મોટો વિષય એ છે કે આ ઘટના થવા પાછળનું કારણ જાણવું પણ અત્યંત જરૂરી બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં બરફ પીગળવો તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, હાલમાં સમગ્ર દેશ આ બાબતે એક થઈને કામ કરવા માટે આગળ વધી રહ્યા છે, પણ આ બાબતે સકારાત્મક પરિણામ ક્યારે આવશે તેના વિશે તો કોઈને ખબર નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code