
કર્ણાટકમાં વિહીપે મસ્જિદમાં ઘૂસીને પૂજા કરવાનું એલાન કર્યા બાદ એક્શનમાં તંત્ર – કલમ 144 લાગૂ કરાઈ
- કર્ણાટકમાં કલમ 144 લાગૂ
- વિહીપે મસ્જિદમાં ઘૂસીને પૂજા કરવાનું એલાન કર્યા બાદ એક્શનમાં તંત્ર
કર્ણાટકમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા “શ્રીરંગપટના ચાલો” ના એલાનને પગલે વહિવટ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે.આ એલાન બાદ આજરોજ શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં વિશ્વ હિન્દુ પરિષદે જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિહીપની જાહેરાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની આગ અન્ય રાજ્યો સુધી પહોંચી છે. કર્ણાટકના શ્રીરંગપટના સ્થિત જામા મસ્જિદને લઈને વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે અહીં એક મંદિર હતું, જેને ટીપુ સુલતાન દ્વારા તોડી પાડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. હવે વિશઅવ પિન્દુ પરિષદ એ જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે.ત્યારે પોલીસે એહી કલવમ 144 લાગૂ કરી દીધી છે.
વિશ્વ હિંદુ પરિષદના પ્રદર્શન માટે શ્રીરંગપટના શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહી 500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને ચાર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આ વિલસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે રૂટ માર્ચ પણ કાઢી હતી.
આજરોજ શ્રીરંગપટના નગર પંચાયત હદમાં કોઈ રેલી કે પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી નથી. શહેરમાં અને તેની આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે આ સાથે જ વિપીહના એલાન બાદ મસ્જિદ પાસેના રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે આજે લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી નથી. સાપ્તાહિક બજાર પણ બંધ છે. સાથે જ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સાથે જ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે દેશભરમાં મસ્જિદમાં મંદિર હોવાની વાતોનો વિવાદ સર્જોય રહ્યો છે ત્યારે કર્ણાટકમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે.