1. Home
  2. ગુજરાતી
  3. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન

0
Social Share

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું  72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા  દિલ્લીથી પટના લઈ જવામાં આવશે. તેમજ રાજેન્દ્રનગર સ્થિત તેમના આવાસ ઉપર લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. 

સુશીલ મોદીના અંતિમ સંસ્કાર પટનાના ગુલાબી ઘાટ ઉપર કરવામાં આવશે.  સુશલ મોદી તેમની ત્રણ દાયકા લાંબી રાજકીય કારર્કિર્દીમાં ધારાસભ્ય, લોકસભા સાસંદ, તેમજ રાજ્ય સભાસાંસદ સહિત બિહાર સરકારમાં  નાણામંત્રી તેમજ બે વાર નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. 

ભાજપના સિનિયર નેતા સુશીલ કુમાર મોદીના નિધનથી બિહાર ભાજપમાં શોક ફેલાયો છે. રાજકીય નેતાઓએ સુશીલ કુમાર મોદીના નિધન અંગે દુખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code