કોંગ્રેસના રાજકુમારને વાયનાડમાં પણ સંકટ દેખાય છેઃ પીએમ મોદી
મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ જનસભામાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ બુથ લેવલે વિશ્વેષણ કરવામાં આવ્યું છે, જેથી પાકો વિશ્વાસ છે કે પ્રથમ તબક્કામાં એનડીએ તરફી મતદાન થયું છે.
પીએમ મોદીએ કહ્યું કે, મતદાતાઓ જોઈ રહ્યાં છે કે, ઈન્ડિ ગઠબંધનના લોકો પોતાના સ્વાર્થમાં અને ભ્રષ્ટાચારને બચાવવા સાથે આવ્યાં છે. પ્રથમ તબક્કામાં ઈન્ડિ ગઠબંધનને મતદારાઓને નકારી દીધું છે. તેઓ મોટા મોટા દાવા કરે છે પરંતુ હક્કીત એ છે કે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના નેતાઓ હાર માની રહ્યાં છે. અગાઉ જે નેતાઓ લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં આવતા હતા તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનીને સંસદમાં બેસી રહ્યાં છે. તેમજ વિપક્ષી ગઠબંધનને ચૂંટણી લડવા યોગ્ય ઉમેદવાર નથી મળતા. મોટાભાગની બેઠકો ઉપર તેમના ઉમેદવારો પ્રચાર કરવા નીકળતા નથી. આગામી 25 વર્ષ ભારતના છે અને વધારે મતદાનથી લાગે છે કે, ભારતની લોકતાંત્રિક તાકાત વધી રહી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શહજાદાને વાયનાડમાં પણ સંકટ દેખાઈ રહ્યું છે. શહેજાદા અને તેમની ટોળકી 26મી એપ્રિલના રોજ વાયનાડમાં મતદાનની રાહ જોઈ રહી છે. 26મી એપ્રિલના રોજ મતદાન બાદ તેઓ શહેજાદા માટે વધારે સુરક્ષિત બેઠકની જાહેરાત કરશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો આ પરિવાર આઝાદી બાદ પ્રથમવાર ખુદ કોંગ્રેસને વોટ આપી રહ્યો નથી, કેમ કે, તેઓ જ્યાં રહે છે ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. જે પરિવારના ભરોસે કોંગ્રેસ ચાલે છે, તેઓ ખુટ કોંગ્રેસને વોટ આપી શકતા નથી. વિપક્ષી ગઠબંધન ઉર નિશાન તાકતા પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકો જોઈ રહ્યાં છે કે વિપક્ષી ગઠબંધનના ભ્રષ્ટ નેતા પોતાના પરિવારોના હિતો માટે એકત્ર થઈ રહ્યાં છે, તેમને દેશની જનતાએ નકારી દીધા છે.