1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-બોટાદ, ધોળા-મહુવા, અને બોટાદ-ધ્રાંગધ્રા વચ્ચે 15મીથી ખાસ ટ્રેનો શરૂ કરાશે
ભાવનગર-બોટાદ, ધોળા-મહુવા, અને બોટાદ-ધ્રાંગધ્રા વચ્ચે 15મીથી ખાસ ટ્રેનો શરૂ કરાશે

ભાવનગર-બોટાદ, ધોળા-મહુવા, અને બોટાદ-ધ્રાંગધ્રા વચ્ચે 15મીથી ખાસ ટ્રેનો શરૂ કરાશે

0
Social Share

ભાવનગરઃ પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી ત્રણ જોડી વધારાની અનરિઝર્વ્ડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ટ્રેનોમાં બોટાદ-ભાવનગર-બોટાદ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન, ધોળા-મહુવા-ધોલા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ અને બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ દૈનિક અનરિઝર્વ્ડ ડેમુ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.

ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09581 બોટાદ – ભાવનગર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ બોટાદથી દરરોજ 07.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 09.05 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નં. 09582 ભાવનગર – બોટાદ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ 19.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.20 કલાકે બોટાદ પહોંચશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં લાઠીદડ, નિંગાળા, અલમપર, ઉજલવાવ, ધોળા, સણોસરા, બજુદ, સોનગઢ, સિહોર, ખોડિયાર મંદિર, વરતેજ અને ભાવનગર પરા સ્ટેશનોં પર ઉભી રહેશે.

 આ ઉપરાંત ટ્રેન નં. 09583 ધોળા – મહુવા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ દરરોજ 17.40 કલાકે ધોલાથી ઉપડશે અને તે જ દિવસે 21.30 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 15 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નં. 09584 મહુવા – ધોલા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ દરરોજ 07.50 કલાકે મહુવાથી ઉપડશે અને તે જ દિવસે 11.45 કલાકે ધોલા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન ઇંગોરાળા, જાળીયા, ઢસા, દામનગર, પાંચતલાવડા રોડ, હાથીગઢ, લીલીયા મોટા, , જીરા રોડ, સાવરકુંડલા, બઢડા, ગધાકડા, મેરિયાણા, વિજપડી રોડ, વાવેરા, રાજુલા જં., ડુંગર., સાજણવાવ રોડ, અમૃતવેલ અને મોટા જાદરા સ્ટેશને રોકાશે.

જ્યારે ટ્રેન નં. 09359 બોટાદ – ધ્રાંગધ્રા દૈનિક અનરિઝર્વ્ડ ડેમુ સ્પેશિયલ બોટાદથી દરરોજ 17.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.35 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નં. 09360 ધ્રાંગધ્રા – બોટાદ દૈનિક અનરિઝર્વ્ડ ડેમુ સ્પેશિયલ ધ્રાંગધ્રાથી 20.45 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 00.15 કલાકે બોટાદ પહોંચશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જં. સ્ટેશનો પર રોકાશે.

રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code