1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેને મુખ્ય ન્યામૂર્તિ તરીકેના શપથ ગ્રહણ કર્યાં
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેને મુખ્ય ન્યામૂર્તિ તરીકેના શપથ ગ્રહણ કર્યાં

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેને મુખ્ય ન્યામૂર્તિ તરીકેના શપથ ગ્રહણ કર્યાં

0
Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતે દેશના 49મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂએ તેમને શપથ અપાવ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય પ્રધાનો તેમજ સુપ્રીમ કોર્ટના જજ ઉપસ્થિત રહ્યા. ઉદય ઉમેશ લલિતનો મુખ્ય ન્યાયાધિશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે.

ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતે શપથ ગ્રહણ પહેલા નિવૃત્ત થઇ રહેલા ચીફ જસ્ટિસ એનવી રમણાના વિદાય સમારંભમાં, તેમણે ત્રણ મોટા સુધારા વિશે વાત કરી હતી.

જસ્ટિસ યુયુ લલિતે કહ્યું, “મારો પ્રયત્ન રહેશે કે કેસોની સૂચિબદ્ધ કરવામાં પારદર્શિતા આવે.” હું એવી વ્યવસ્થા બનાવી શકું કે જેમાં તાકીદની બાબતો સંબંધિત બેન્ચ સમક્ષ મુક્તપણે હાથ ધરવામાં આવે. આ સિવાય હું ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ બનાવી શકું, જે આખું વર્ષ કામ કરતી રહે.

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ક્રિમિનલ લો ના સ્પેશિયાલિસ્ટ છે. 13 ઓગસ્ટ 2014ના રોજ તેઓ બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઉન્નત થયા હતા. ત્યારબાદ મે 2021માં તેમની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

તેમણે સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ તમામ 2G કેસોમાં CBIના પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે ટ્રાયલ્સમાં ભાગ લીધો છે. તેઓ બે ટર્મ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code