1. Home
  2. Tag "cji"

ડરાવવું-ધમકાવવું કોંગ્રેસની જૂની સંસ્કૃતિ: CJIને 600 વકીલોના પત્ર પર બોલ્યા PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને […]

ન્યાયતંત્ર પર એક ખાસ ગ્રુપનું દબાણ: હરીશ સાલ્વે સહીત 600 વકીલોએ લખી CJIને ચિઠ્ઠી

નવી દિલ્હી: દેશમાં જલ્દી લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ દરમિયાન વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમમે આ ચિઠ્ઠીમાં કહ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્રને કમજોર કરવામાં લાગેલું છે. આ વકીલોએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે […]

સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનો પ્રારંભ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ.ધનંજય વાય. ચંદ્રચુડે આજે સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રની સ્થાપના આયુષ મંત્રાલય સાથે જોડાયેલી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની ભાગીદારીથી કરવામાં આવી છે. આ પ્રસંગે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડો.મુંજપરા મહેન્દ્ર કાળુ, આયુષ સચિવ રાજેશ કોટેચા અને અન્ય વરિષ્ઠ […]

CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક દુર્લભ નજારો જોવા મળ્યો. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ભરી અદાલતમાં એક વકીલ પર ભડકયા હતા. એક અરજીના લિસ્ટિંગના મામલા પર તીખી નોકઝોંક દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે એક વકીલને તેમના લહેજા માટે આકરો ઠપકો આપ્યો છે અને કોર્ટને ડરાવવા તથા ધમકાવવાની કોશિશો વિરુદ્ધ કડક ચેતવણી આપી. આ દરમિયાન જસ્ટિસ […]

સુપ્રીમ કોર્ટને આજે બે નવા ન્યાયાધીશો મળશે,CJI લેવડાવશે શપથ

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા. આ સાથે સિનિયર એડવોકેટ કે.કે. વેંકટરામન વિશ્વનાથનને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે એટલે કે આજે સવારે 10.30 કલાકે યોજાશે. અગાઉ, આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજે) પ્રશાંત કુમાર […]

દેશની તમામ મહત્વની ઘટનાઓ સુપ્રીમ કોર્ટમાં લાવવી જરૂરી નથીઃ ચીફ જસ્ટિસ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસવા મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, દરેક મહત્વની વસ્તુઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાય તે જરૂરી નથી. આ મામલે ચુંટાયેલી સરકાર પહેલાથી કામમાં જોડાયેલી છે. લોકતાંત્રિક સરકાર પહેલાથી જ આ સમસ્યાના નિરાકરણમાં કામગીરી કરી રહી છે. અમે આપની ચિંતા સમજીએ છીએ. સુપ્રીમ […]

દેશના 28 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 413 વિશિષ્ટ પોસ્કો કોર્ટ કાર્યરત

નવી દિલ્હીઃ કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC)ની સ્થાપના અને તેની કામગીરી રાજ્ય સરકારોના ક્ષેત્રમાં આવે છે જેમણે તેમની જરૂરિયાતો અને સંસાધનો અનુસાર, સંબંધિત ઉચ્ચ અદાલતો સાથે પરામર્શ કરીને આવી અદાલતોની સ્થાપના કરી હતી. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2017 પછી 242 […]

ડીવાય ચંદ્રચુડ CJI બન્યા પછી SCની અદભૂત ગતિ,29 દિવસમાં 6,844 કેસનો નિકાલ કર્યો

દિલ્હી:ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.આ પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6,844 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ જ સુનાવણી ઝડપી કરવાનો મેસેજ આપ્યો હતો.CJIએ પોતે આનો હવાલો સંભાળ્યો હતો અને બાકીની બેન્ચોની સુનાવણી ટૂંક સમયમાં કરવાની વાત કરી હતી.તેની અસર એક મહિનામાં જ જોવા મળી હતી. તેમણે […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]

જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા

નવી દિલ્હીઃ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડને સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોદાના શપથ લેવડાવ્યાં હતાં. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. જસ્ટીસ ચંદ્રચુડને વર્ષ 2016માં સુપ્રિમકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ તેઓ અલ્લાહબાદ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતાં. 1959મા જન્મેલા ન્યાયમૂર્તિ ચંદ્રચુડને 13મી મે એ 2016ના રોજ ભારતની સર્વોચ્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code