1. Home
  2. Tag "cji"

યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 16 મે, 2026: યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. બેરોજગાર યુવા વકીલો માટે કૉકરોચ (વંદા) જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિવાદમાં ફસાયેલા સીજેઆઈ (CJI) સૂર્યકાંતે આ મામલે સ્પષ્ટતા કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, તેઓ દેશના યુવાનોની ટીકા […]

મમતા સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ સખત નારાજ, કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવા આદેશ

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026:  Supreme Court પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બુધવારે 7 ન્યાયિક અધિકારીઓને ઘેરીને બંધક બનાવવાની ઘટના પર સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. આ અધિકારીઓમાં 3 મહિલા અધિકારીઓ પણ સામેલ હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન મમતા બેનર્જી સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત મિશ્રાએ […]

UGCના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સમાનતાના અધિકાર પર CJIની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે આ નવા નિયમો સમાજમાં વિભાજન પેદા કરી રહ્યા છે અને માત્ર અમુક ચોક્કસ જ્ઞાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય નાગરિકોની અવગણના કરી […]

મતદારની નાગરિકતાની તપાસ કરવી ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં કોઈ વ્યક્તિનું નામ સામેલ કરતા પહેલા તેની ભારતીય નાગરિકતાની તપાસ કરવી એ પંચનો અધિકાર પણ છે અને બંધારણીય ફરજ પણ છે. પંચે ભારપૂર્વક કહ્યું કે આ પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં […]

ઈન્ડિગો ફ્લાઈટ સંકટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પાંચમાં દિવસે પણ અનેક ફ્લાઈટો રદ કરાઈ

નવી દિલ્હી:  દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ થવાના અને વિલંબિત થવાના મામલે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને આ સમગ્ર સંકટ પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. દરમિયાન આજે પણ ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ […]

પંજાબની જેલમાં બંધ કેદીઓને સ્કીલ ટ્રેનીંગ અપાશે, જેલોમાં 11 નવી ITI ખોલાશે

નવી દિલ્હીઃ પંજાબની જેલોમાં બંધ કેદીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એમ્પાવરિંગ લાઈવ્સ બિહાઈન્ડ બાર્સ પહેલ હેઠળ પંજાબ સરકાર અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા 11 જેટલી નવી આઈટીઆઈ જેલોમાં ખોલવામાં આવશે. જેના મારફતે 24 જેલમાં બંધ 2400 કેદીઓ એનસીવીટી અને એનએસક્યુએફ સર્ટીફાઈડ સ્કિલ ટ્રેનિંગ મેળવી શકશે. આ પ્રોગ્રામની શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફજસ્ટીસ સૂર્યાકાંતની ઉપસ્થિતિમાં પટિયાલા […]

‘કસ્ટમ્સ કાયદા અને GST હેઠળ ધરપકડની સત્તા માન્ય’; CJIની અધ્યક્ષતાવાળી કોર્ટનો નિર્ણય

ઉદ્યોગપતિઓને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને કસ્ટમ્સ સંબંધિત મામલામાં એફઆઈઆર નોંધાયેલ ન હોય તો પણ વ્યક્તિ આગોતરા જામીનની માંગ કરી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સહિત અન્ય કાયદાઓ હેઠળ ધરપકડ કરવા માટે લાગુ પડતાં રક્ષણ આ કેસોમાં પણ લાગુ થશે. જો કે, બેન્ચે સુધારેલા […]

ડરાવવું-ધમકાવવું કોંગ્રેસની જૂની સંસ્કૃતિ: CJIને 600 વકીલોના પત્ર પર બોલ્યા PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને […]

ન્યાયતંત્ર પર એક ખાસ ગ્રુપનું દબાણ: હરીશ સાલ્વે સહીત 600 વકીલોએ લખી CJIને ચિઠ્ઠી

નવી દિલ્હી: દેશમાં જલ્દી લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ દરમિયાન વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમમે આ ચિઠ્ઠીમાં કહ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્રને કમજોર કરવામાં લાગેલું છે. આ વકીલોએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે […]

સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનો પ્રારંભ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ.ધનંજય વાય. ચંદ્રચુડે આજે સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રની સ્થાપના આયુષ મંત્રાલય સાથે જોડાયેલી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની ભાગીદારીથી કરવામાં આવી છે. આ પ્રસંગે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડો.મુંજપરા મહેન્દ્ર કાળુ, આયુષ સચિવ રાજેશ કોટેચા અને અન્ય વરિષ્ઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code