1. Home
  2. ગુજરાતી
  3. સુશાંતસિંહ રાજપુતઃ પીકે સહિતની ફિલ્મોના ઓડિશનમાં ફેલ ન હતો થયો અભિનેતા
સુશાંતસિંહ રાજપુતઃ પીકે સહિતની ફિલ્મોના ઓડિશનમાં ફેલ ન હતો થયો અભિનેતા

સુશાંતસિંહ રાજપુતઃ પીકે સહિતની ફિલ્મોના ઓડિશનમાં ફેલ ન હતો થયો અભિનેતા

0
Social Share

દિલ્હીઃ હિન્દી ફિલ્મ જગતના અભિનેતા સુશાંતસિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો અભિનય તથા તેમની સાથે જોડાયેલી યાદો તેમના પ્રશંસકોની અંદર જીવીત છે. સુશાંતના અવસાનને એક વર્ષ થવા આવ્યું છે. ગત 14મી જૂન 2020ના રોજ સુશાંતનું નિધન થયું હતું. સુશાંત અચાનક આવી રીતે દુનિયાને અલવિદા કરતા અનેક લોકોને આંચકો લાગ્યો હતો. તેમના નજીકના લોકોનું માનીએ તો સુશાંત અસલ જીંદગીમાં જીંદાદિલ હતો. જો કે, તેનાથી વધારે સારો અભિનેતા પણ હતો.

સુશાંતસિંહ એક પણ વાર ઓડિશનમાં ફેલ થયા ન હતા. કાય પો છે અને પીકે સહિતના ફિલ્મ માટે જ્યારે સુશાંતસિંહે ઓડિશન આપ્યું છે તે પાસ થયો છે. આ વાતનો ખુલાસો આખરી ફિલ્મ દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડાએ ગયા વર્ષ અભિનેતાના અવસાન બાદ કહ્યું હતું. જે વીડિયો હાલ વાયરલ થયો છે. મુકેશે સોશિયલ મીડિયામાં 1 મિનિટ 45 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. જેમાં સુશાંતની અલગ-અલગ ફિલ્મના ઓડિશન આપતા દેખાડાયા છે.

આ વીડિયોણાં અભિનેતાના કેરિયરની એક ઝલક જોવા મળે છે. અભિનેતા પોતાના કામને કેવી રીતે એન્જોય કરતો અને મહેનત કરતો હતો. વીડિયોમાં કાય પો છે અને પીકેની શુટીંગ દરમિયાનના કેટલાક સિન્સ પણ જોવા મળે છે. વીડિયો શેર કરતા મુકેશે કેપ્શનમાં લખ્યું છે કે, સુશાંતસિંહ રાજપુત એક એવો છોકરો હતો જે કોઈ ઓડિશનમાં ફેલ નથી થયો. તેમણે પોતાના ટેલેન્ટથી કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. તેમજ હંમેશા આપણા દિલમાં રહેવાનો ફેસલો કર્યો હતો. આ છે સુશાંતસિંહ રાજપુત અને તેમની યાત્રા, જે હંમેશા યાદ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંત સિહ રાજપુત ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી ઘર-ઘરમાં જાણીતો થયો હતો. ફિલ્મ કેરિયરની શરૂઆત કોઈપો છે થી કરી હતી. જે બાદ એમ.એસ.ધોની, કેદારનાથ, પીકે, રાબતા અને છિછોરે જેવી સુંદર ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code