ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં 15 જેટલી ઔદ્યોગિક વસાહતોની દરખાસ્તને રાજ્ય સરકારે આપી મંજુરી
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજયના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતની 15 દરખાસ્તોને રાજય સરકારે મંજુરી આપી દીધી છે અને તે માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 1790 હેકટર જમીનમાં આ ઔદ્યોગિક વસાહતો આકાર પામશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, મહિસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, […]