બાબરના મકબરા પર ગયા, પણ રામલલાથી આટલી નફરત કેમ?: પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું તો હિમંત બિસ્વા સરમા કોંગ્રેસ પર વરસ્યા
નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. કૉંગ્રેસે જ્યાં અયોધ્યાના કાર્યક્રમને એક ચૂંટણી ઈવેન્ટ ગણાવી છે, તો ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને મુઘલ શાસક બાબર પ્રત્યે ઉદાર ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અયોધ્યા કાર્યક્રમના નિમંત્રણને ઠુકરાવાયા બાદ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ […]