1. Home
  2. Tag "Bhavnagar district"

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કાચી ઈંટો ધોવાઈ જતાં બ્રિક ઉદ્યોગને થયું નુકશાન

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે ઈંટ ઉદ્યોગને સારૂએવું નુકશાન થયું છે. ઈટો પાડવાની સીઝન શરૂ થયા બાદ ભાવનગર જિલ્લા સીદસર, વાળુકળ, ચિત્રા, નવાગામમાં જુદા-જુદા સ્થળોએ કાચી ઈટોનો જથ્થો તૈયાર કરીને રખાયો હતો, ત્યાં જ કમોસમી વરસાદનાં કારણે તૈયાર કાચી ઈટો ધોવાઈ જતા ઉત્પાદકોને નુકસાની સહન કરવા સાથે મહેનત ઉપર પાણી ફરી વળ્યું […]

ભાવનગર જિલ્લાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ભાવનગરઃ  જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.જેમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો, ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે […]

ગોહિલવાડમાં 6,600 હેકટરમાં કરાયું તલનું વાવેતર, ગત વર્ષ કરતા વાવેતરમાં 1200 હેકટરનો વધારો

ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતોય તેની આ વખતે ઉનાળામાં પણ સિંચાઈના પાણી પુરતા મળી રહે તેમ હોવાથી ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. ઉનાળાની ગરમીનો હવે આરંભ થઈ રહ્યો છે,  ત્યારે ગોહિલવાડ પંથકમાં અત્યાર સુધીમાં તલનું વાવેતર 6,600 હેકટરમાં નોંધાયું છે. જે ગત વર્ષના વાવેતરથી 1,200 હેકટર વધુ છે. […]

ભાવનગર જિલ્લામાં પુરતા ભાવ ન મળ્યા છતાં ખેડુતોએ 6000 હેકટરમાં કર્યું ડુંગળીનું વાવેતર

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સરેરાશ સારો વરસાદ પડ્યો હતો. એટલે રવિ સીઝનમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા તેમજ સાનિકૂળ હવામાનને લીધે જિલ્લામાં ડુંગળીનો મબલખ પાક થયો હતો. જો કે ખેડુતોને ડુંગળીના પુરતા ના મળતા કફોડી સ્થિતિમાં મુકી દીધા હતા. એટલે ઉનાળું વાવણીમાં ડુંગળીનું ઓછું વાવેતર થશે તેમ લાગતું હતું. પરંતુ તળાજા મહુવા […]

ભાવનગર જિલ્લામાં 51,700 હેકટરમાં ઉનાળું વાવેતર પૂર્ણ, બાજરીના વાવેતરમાં 24 ટકાનો વધારો

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે આ વખતે ઉનાળામાં પણ સિંચાઈ માટેના પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગતું નથી તેથી ઉનાળું પાકના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે.ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઇ છે. ગત વર્ષે આ સમયગાળામાં ભાવનગર […]

ભાવનગર જિલ્લામાં મગફળી, બાજરી અને તલના ઉનાળું વાવેતરમાં થયો વધારો

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં ભર ઉનાળે માવઠાનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા. દરમિયાન ખેડુતોએ તે રવિ સીઝન પૂર્ણ થતાં જ ઉનાળું વાવણી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકના વાવેતરમાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.  ભાવનગર જિલ્લામાં 51,700 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. માર્ચ માસમાં ભાવનગર જિલ્લામાં […]

ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો, ગાઢ ધૂમ્મસ છવાતાં હિલ સ્ટેશન જેવો માહોલ

ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગોહિલવાડ પંથકમાં આજે સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. દરમિયાન માવઠુ થવાની દહેશતથી ખેડુતો ચિંતિત બન્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા […]

ભાવનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલી સરકારી જમીનોના ભાડાં વસુલવામાં તંત્રની બેદરકારી

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા, મહુવા, તેમજ  ભાવનગર તાલુકો અને શહેર વિસ્તારમાં મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનની ભાડાની વસુલાત જ મામલતદારો દ્વારા નહીં થતી હોવાની ગંભીર બેદરકારી કલેકટર સમક્ષ આવતા ભાડાની વસુલાત કરવા મામલતદારોને પરિપત્ર કરી તાકીદ કરી છે. દરિયાકાંઠાની કિંમતી જમીનો મીઠાંના ઉત્પાદકોને લીઝ પર આપવામાં આવેલી છે. અને સરકારે સરકારી જમીનનું નજીવું […]

ભાવનગરના તળાજા સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે પાણી અને ઘાસચારાની સમસ્યા

ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા ચાર દિવસથી સુકા પવન ફુંકાવાને કારણે ગરમીમાં વધારો થતો જાય છે. ફાગણ મહિનાના પ્રારંભે – તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ જિલ્લાના તળાજા સહિતના તાલુકામાં ઉનાળાના આગમન ટાણે જ પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ઘણાબધા ગામો એવા છે. કે બોર અને કૂવાના પાણી પર […]

ભાવનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જળાશયોમાં 55.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો હતો. ઉનાળાના પ્રારંભે ભાવનગર જિલ્લાના જળાશયોમાં સરેરાશ 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી શક્યતા છે. જોકે જિલ્લામાં પાણીના તળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અને કેનેલો દ્વારા સિંચાઈની તમામ તાલુકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code