ભાવનગરના ગંગાજળિયા તળાવમાં કચરો ફેંકીને લોકો જ ગંદકી ફેલાવી રહ્યા છે, તંત્ર નિષ્ક્રિય
ભાવનગરઃ શહેરીજનો જ સ્વચ્છતા માટે ટેવાયેલા નથી, અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આણવી જરૂરી છે. શહેરના ઐતિહાસિક ગણાતા અને શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ ગંદગીનો પર્યાય બની ગયું છે. તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત ગંદકી વહી રહી છે. લોકોએ કચરો ફેંકીને તળાવને ઉકરડો બનાવી દીધું છે, જ્યારે મ્યુનિનું તંત્ર મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યું છે. […]


