1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં PM મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું
ભાવનગરમાં PM મોદીનું  વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું

ભાવનગરમાં PM મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું

0
Social Share

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન ગુરૂવારે ભાવનગર પહોંચતા રાજયના શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી વડાપ્રધાનની છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરુદ આપેલુ છે.

ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે આવેલી દેશની એકમાત્ર NGO ‘લોકભારતી’ના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડૉ. ઝવેરભાઈ પટેલ દ્વારા લોક-1 ઘઉંનું સંશોઘન કરવામાં આવ્યુ છે અને આ ઘઉંની જાત દેશના વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી જાત છે. કેમ કે, આ ઘઉંના ઉત્પાદનથી ખેડૂતો 8% વધુ ઉપજ મેળવી શકે છે. પરિણામે ઘઉંના બફર સ્ટોકમાં નોંધપાત્ર યોગદાન સાથે આપણા દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ આત્મનિર્ભર બન્યો છે. તેથી જ આ ઘઉંનું સંશોધન રાષ્ટ્ર માટે અતુલ્ય યોગદાન ગણવામાં આવે છે. વર્ષ 1981થી દેશની અન્ય તમામ ઘઉંની જાતોમાં લોક-1 પ્રથમ સ્થાને છે. લોક-1 ઘઉંના ઉપયોગથી દર વર્ષે દેશને રૂ.200 કરોડનો નફો થાય છે. આપણા રાષ્ટ્રની હરિયાળી ક્રાંતિ અને ખાદ્ય સુરક્ષામાં તેનું અમૂલ્ય યોગદાન છે. ઘઉંની અન્ય જાતોની સરખામણીમાં સૌથી વધુ ઉપજ આપનારી આ વેરાઇટીને ઓછી સિંચાઈ અને ખાતરની જરૂર પડે છે. જે વહેલી પરિપક્વતા હોવા છતાં વધુ ઉત્પાદન આપે છે.

વિશેષ ગુણધર્મો ધરાવતા આ ઘઉંના દાણાથી વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની તસવીર તૈયાર કરાવીને શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણી દ્વારા વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન મોદીનું આ અનોખી સ્મૃતિછબીથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code