1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર નજીક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુલાકાતીઓના સંખ્યામાં બેવડો વધારો
ભાવનગર નજીક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુલાકાતીઓના સંખ્યામાં બેવડો વધારો

ભાવનગર નજીક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુલાકાતીઓના સંખ્યામાં બેવડો વધારો

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વલ્લભીપુર નજીક કાળિયાર અભ્યારણ્ય આવેલું છે. આ વિસ્તારમાં વન વિભાગની દેખરેખને લીધે છેલ્લા વર્ષોમાં કાળિયારની વસતીમાં વધારો થયો છે.  કાળિયારને નિહાળવા માટે અનેક પ્રવાસીઓ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવે છે. ઉદ્યાનમાં કાળીયાર સિવાયના પ્રાણીઓમાં વરુ, ઝરખ, શિયાળ, લોકડી, નીલગાય વગેરે તથા પક્ષીઓમાં ખડમોર, હરિયલ (બાજ) અને તે સિવાયના ઘાસના પક્ષીઓ, અન્ય 60 થી 70 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘાસીયા મેદાન અનુરૂપ હોય તેવા પશુ-પક્ષીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. છેલ્લા બે મહિનાથી પ્રવાસીઓની સંખ્યમાં બેવડો વધારો થયો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોરોનાકાળ બાદ પ્રવાસીઓનો 94.32 ટકા નો વધારો નોંધાયો છે. શિયાળા દરમિયાન વધુ પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે. છેલ્લા એક મહિનામાં  1970 જેટલા પ્રવાસીઓએ ઉદ્યાનની મુલાકાત લીધી હતી.  કોરોનાકાળ પહેલા ભાવનગર સ્થિત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વર્ષ 2018-19 માં 10,569 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે કોરોનાકાળ દરમિયાન દેશના મોટાભાગના બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ હતા, ત્યારે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વર્ષ 2020-21 માં 6096 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા.  વર્ષ 2021-22માં 11,846 પ્રવાસીઓએ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાની મુલાકાત લીધી હતી. કાળીયારની વસ્તી વર્ષ 2021 માં 7554 હતી. જે વધીને 5066 નોંધાઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળીયાર સિવાયના પ્રાણીઓમાં વરુ, ઝરખ, શિયાળ, લોકડી, નીલગાય વગેરે તથા પક્ષીઓમાં ખડમોર, હરિયલ (બાજ) અને તે સિવાયના ઘાસના પક્ષીઓ, અન્ય 60 થી 70 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘાસીયા મેદાન અનુરૂપ હોય તેવા પશુ-પક્ષીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુ-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તે માટે સરકારે આ અભયારણ્યના વિસ્તારનો વધારો કરવો જોઈએ. રેવન્યુ વિસ્તાર વેસ્ટ લેન્ડ જે વણવપરાયેલી બિનઉપજાઉ અભયારણ્યની આસપાસની જમીનને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉમેરીને વધારો કરવામાં આવે તો કાળીયાર તથા અન્ય પ્રાણી-પક્ષીઓનો વસ્તી વધારો થઈ શકે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code