1. Home
  2. ગુજરાતી
  3. IPL 2027 વહેલી શરૂ કરશે BCCI, કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી કરાશે આયોજન
IPL 2027 વહેલી શરૂ કરશે BCCI, કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી કરાશે આયોજન

IPL 2027 વહેલી શરૂ કરશે BCCI, કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી કરાશે આયોજન

0
Social Share

મુંબઈ, 18 જૂન 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027ની આગામી 20મી સિઝનને લઈને એક મોટો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી વર્ષે આ મેગા ટુર્નામેન્ટની શરૂઆત સામાન્ય સમય કરતાં થોડી વહેલી થઈ શકે છે. બીસીસીઆઈ આગામી આઈપીએલ 2027નું આયોજન 10 માર્ચથી 15 મે વચ્ચે કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, ટુર્નામેન્ટ વહેલી શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ દેશમાં પડતી આકરી ગરમી અને હવામાનનો મિજાજ છે. આ ફેરફારથી ખેલાડીઓને મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમી અને ચિલચિલાતી ધૂપમાંથી મોટી રાહત મળશે. આ સાથે જ ક્રિકેટ બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી સિઝનમાં મેચોની સંખ્યા વધારવાનો તેમનો હાલ કોઈ ઈરાદો નથી.

બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સેકિયાએ જણાવ્યા હતું કે, આઈપીએલ 2027ને વહેલી શરૂ કરવા અંગે હાલ બોર્ડના ઉચ્ચ સ્તરે સઘન ચર્ચા ચાલી રહી છે. અમારો મહત્તમ પ્રયાસ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને 10 માર્ચથી શરૂ કરીને 15 મે સુધીમાં જ પૂર્ણ કરી લેવાનો છે, જેથી દેશ-વિદેશના ખેલાડીઓ ઉનાળાની ભીષણ વહેલી ગરમીથી બચી શકે. તેમણે ઉમેર્યું કે 15 મે પછી ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો ખૂબ જ ઉપર વયો જાય છે, જેને કારણે ખેલાડીઓના સ્વાસ્થ્ય અને તેમના મેદાન પરના પ્રદર્શન પર વિપરીત અસર પડે છે. ખેલાડીઓની સુરક્ષા અને મેચની ગુણવત્તા જાળવવા માટે આ નિર્ણય લેવો જરૂરી બન્યો છે.

અગાઉ ક્રિકેટ જગતમાં એવી જોરદાર ચર્ચાઓ અને અટકળો ચાલી રહી હતી કે આઈપીએલની લોકપ્રિયતાને જોતાં આગામી સિઝનથી મેચોની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવી શકે છે. જો કે, સેક્રેટરી દેવજીત સેકિયાએ આ તમામ અફવાઓ પર વિરામ મૂકતા સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈનો હાલ મેચો વધારવાનો કોઈ વિચાર નથી. આગામી સિઝનમાં પણ વર્તમાન ફોર્મેટ મુજબ માત્ર 74 મુકાબલા જ રમાશે. અગાઉ એવી ચર્ચા હતી કે આગામી સિઝનમાં 74ના બદલે 94 મેચો રમાડવામાં આવી શકે છે, પરંતુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શિડ્યુલ અને વર્તમાન પરિસ્થિતિને જોતાં આ ફેરફાર બિલકુલ સંભવ નથી.

  • આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરાઈ

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રમાયેલી આઈપીએલ 2026ની શરૂઆત 28 માર્ચથી થઈ હતી અને તેની ફાઈનલ મેચ 31 મેના રોજ રમાઈ હતી. આ બે મહિનાની ટુર્નામેન્ટ દરમિયાન બીસીસીઆઈ અને તમામ ફ્રેન્ચાઇઝીઓએ દેશભરમાં ગરમીની આકરી અસર પ્રત્યક્ષ જોઈ હતી, જેના કારણે ખેલાડીઓ શારીરિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ કડવા વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને જ ક્રિકેટ બોર્ડ હવે સમયસર જાગી ગયું છે અને આગામી 20મી સિઝનને માર્ચના બીજા અઠવાડિયાથી જ શરૂ કરવા માટેનો આખરી રોડમેપ તૈયાર કરી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code