1. Home
  2. Tag "Campaign"

ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે

અમદાવાદઃ 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યાં પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લત્તા મંગેશકરજી સહિતના મહાનુભાવો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરતા હતા. આમ આપણી […]

પાકિસ્તાન હવે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરશે

દિલ્હી : પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં મુંબઈ અને દિલ્હી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ સામે આવ્યો છે. જેઓ પર આતંકવાદી હુમલાનો આરોપ છે તેઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. પરંતુ હવે પાક પીએમ શાહબાઝ શરીફે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ની બેઠક બોલાવી હતી જેમાં દેશમાંથી તમામ પ્રકારના આતંકવાદને ખતમ કરવા માટે એક વિશાળ […]

આસામઃ એક વર્ષમાં ચાર હજાર બાળલગ્ન અટકાવ્યાં, શુક્રવારથી ફરીથી અભિયાન શરૂ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં બાળલગ્નોને અટકાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર સાથે વિવિધ સામાજિક સંસ્તાઓ પણ કામગીરી કરી રહી છે. દરમિયાન આસામમાં આવતીકાલથી બાળલગ્ન અટકાવવા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવશે. દરમિયાન એકાદ વર્ષમાં ચાર હજારથી વધારે બાળલગ્ન અટકાવ્યાં હતા. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશની બાકી ટેક્સ સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 290 મિલકતો સીલ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક છે. ઘણા પ્રોપર્ટીધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિ.એ  એક તરફ બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે ત્યારે પણ અનેક લોકો હજુ પણ ટેક્સની લેણી રકમ જમા કરાવતા નહીં હોવાથી મ્યુનિ.એ સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે.  મ્યુનિ.એ […]

બીજા તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત પડે તે પહેલા રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની 93 બેઠકો માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. આજે સાંજના પાંચ વાગ્યાથી  રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા.  હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી રોડ શો કર્યો હતો. ચેનપુરથી ઓગણજ ગામ સુધી 12 કિલીમીટર […]

ગુજરાતમાં 1લીથી 30મી સપ્ટેમ્બર સુધી પોષણ માટે અભિયાન, કૂપોષણને નાથવાના પ્રયાસો કરાશે

ગાંધીનગરઃ ‘પોષણ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં આગામી તા. 1લીથી 30 સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવશે. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સથાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે. તેમ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. તેમણે પોષણ માસની વધુ વિગતો આપતાં કહ્યું […]

ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સીસી કેમેરાથી ટ્રાફિક ભંગ ગુનાના હજારો કેસ વાહન માલિકો સામે નોંધાયેલા છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો મોકલીને દંડ વસુલાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ટ્રાફિક અને આ-મેમોના મુદ્દે ગૃહરાજ્યમંત્રીને રજુઆત કરી છે. રાજકોટ શહેરમાં ઈ-મેમો અને ટ્રાફિકના કારણે નાગરિકો પરેશાન બન્યા છે. ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે નાગરિકો […]

ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝુંબેશમાં 2000 સ્થળોએથી 1 લાખથી વધુ ખેડૂતો જોડાયા

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી 25 થી 30 એપ્રિલ 2022 સુધી અઠવાડિયાના “કિસાન ભાગીદારી પ્રથમિકતા હમારી” અભિયાનનું આયોજન કર્યું છે. ઝુંબેશના ચોથા દિવસે, 28મી એપ્રિલ 2022ના રોજ મત્સ્યોદ્યોગ વિભાગ (DoF) દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ (DAHD)ના સહયોગથી વર્ચ્યુઅલ […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બાકી વસુલાત ઝુંબેશથી મ્યુનિ. કોર્પો.ની આવક 1111.59 કરોડે પહોંચી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો સૌથી મોટો આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરના ઘણા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આળસ દાખવતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ઘરી હતી. મ્યુનિ. ટેક્સ વિભાગે 31મી માર્ચ 22ના પૂરા થતાં નાણાકીય વર્ષનો ટાર્ગેટ પૂરો કર્યો છે. ગઈકાલે શુક્રવારે વધુ 368 જેટલી મિલકતોને સીલ કરાઇ હતી. મ્યુનિ.એ […]

ગુજરાતમાં કાલે રવિવારથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ દ્વારા આવતી કાલ તા.6ઠ્ઠી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બાઈક કે સ્કુટર પર હેલ્મેટ ન પહેરનારા તેમજ કારમાં સીટબેલ્ટ ન બાંધનારા ચાલકો સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code