1. Home
  2. Tag "Central Government"

ભારત સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે આ દેશો સાથે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સાથે, સરકારે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા માટે અનેક નીતિગત પહેલ કરી છે. વિદેશ રાજ્યમંત્રીએ […]

અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન અપાશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. અવકાશ ક્ષેત્રને ઉદાર બનાવવામાં આવ્યું છે જેથી બિન-સરકારી સંસ્થાઓ (એનજીઈ) સંપૂર્ણ અવકાશ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે. આ માહિતી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, અણુ ઊર્જા અને અવકાશ વિભાગ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. ડૉ. […]

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 2.69 કરોડ ઘરોનું નિર્માણ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ, નાણાકીય વર્ષ 2023-24 ના અંત સુધીમાં 2.69 કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 31 માર્ચ, 2024 સુધીમાં મૂળભૂત સુવિધાઓ સાથે 2.95 કરોડ પાકા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જેના માટે કેન્દ્રએ રાજ્યોને ૨.૨૬ લાખ કરોડ રૂપિયા આપ્યા છે. આ માહિતી લોકસભામાં આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2024-25 થી […]

પીઓકે મામલે ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને આપ્યો પડકાર

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા લંડનમાં Pok પર આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં બોલતા, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (POK) પાછું મેળવવાથી આપણને કોણ રોકી રહ્યું છે. ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના પીઓકે પરના નિવેદન પર કહ્યું કે વિદેશ મંત્રીએ […]

કેન્દ્ર સરકાર દ્વારા ‘આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (MeitY) આજે આધાર પ્રમાણભૂતતા વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ આધારને વધારે લોકોને અનુકૂળ બનાવવા, જીવન જીવવાની સરળતાને સક્ષમ બનાવવા અને લોકો માટે સેવાઓની વધુ સારી સુલભતાને સક્ષમ બનાવવાનાં પ્રયાસ સાથે સુસંગત છે. આધાર સુશાસન પોર્ટલનો શુભારંભ MeitYના સચિવ એસ. […]

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ઉપલબ્ધ ન હોવી જોઈએ, દવાના વેચાણ અંગે કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ આપી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યસન મુક્તિ અભિયાન હેઠળ દેશમાં સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર ઉપયોગને ઘટાડવા માટે કડક પગલાં લેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી જોઈએ નહીં. ગુણવત્તાયુક્ત દવાઓ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણોને મજબૂત બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે […]

PM મોદીની યુએસ મુલાકાત પહેલા કેન્દ્ર સરકાર અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી

પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. આ પહેલા ભારત અમેરિકા સાથે સંભવિત ટ્રેડ વોરને ટાળવા માટે કેટલાક અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, 12-13 ફેબ્રુઆરીએ યોજાનારી આ બે દિવસીય મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર, સંરક્ષણ સહયોગ અને તકનીકી મુદ્દાઓ પર ચર્ચા કરશે. રિપોર્ટમાં […]

બજેટની રાહ જોયા વિના આવકવેરામાં રાહત આપવા માટે ફેરફારને કેન્દ્ર સરકાર આપશે મંજુરી

નવી દિલ્હીઃ જ્યારથી નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન નવા આવકવેરા બિલ 2025 વિશે વાત કરી છે, ત્યારથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા આવકવેરા બિલને કેબિનેટની મંજૂરી મળી શકે છે. કેબિનેટ બેઠકમાં તેના પર ચર્ચા થવાની અપેક્ષા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બિલમાં કેટલીક જોગવાઈઓ હોઈ શકે […]

ઈસ્લામ નહીં માનનાર મુસ્લિમ પરિવાર પર સામાન્ય સિવિલ કાનૂન લાગુ પડે છે?, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ

નવી દિલ્હીઃ મુસ્લિમ પરિવારમાં જન્મ છતા નાસ્તિક વ્યક્તિ પર શું શરિયતની જગ્યાએ સામાન્ય સિવિલ કાનૂન લાગુ થઈ શકે છે ? સુપ્રીમ કોર્ટે આ મહત્વના સવાલ ઉપર કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ કર્યો છે. તેમજ અરજીની વધુ સુનાવણી મે મહિનામાં હાથ ધરવામાં આવશે. અરજી કરનાર કેરલમાં રહેનારની સાફિયા પીએમ નામની યુવતીએ દાખલ કરી […]

દિલ્હીની આપ સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર સચિન પાયલોટે કર્યાં આકરા પ્રહાર

ઉદયપુર: રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેની સર્વોપરિતા માટેની લડાઈમાં દિલ્હીના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાયલોટે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને લોકો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જનાદેશ આપશે. “અમે લોકોને કેટલીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code