1. Home
  2. Tag "Commissioner of Police"

ડ્રગ્સના દૂષણને ડામવા તેના મૂળ સુધી પહોંચવા CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને તાકીદ કરી

અમદાવાદઃ ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરો, અધિક પોલીસ મહાનિદેશકો, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકો અને ડીસીપીઓ પણ આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. આ કોન્ફરન્સનો પ્રારંભ […]

રાજકોટના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ,

રાજકોટ :  ક્રાઈમ કેપિટલ બની રહેલા રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાથી મહત્વની એવી પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી. અને કમિશનર તરીકે કોને જવાબદારી સોંપાશે. તેની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. આખરે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના આઈપીએસ રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે. સૂત્રોના જમાવ્યા મુજબ  મહિનાઓ પહેલા રાજકોટ પોલીસ દ્વારા કથિત રીતે […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયોઃ એક વૈજ્ઞાનિકની કરાઈ ધરપકડ

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટના કેસમાં DRDOના એક વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે પાડોશમાં રહેતા વકીલને નિશાન બનાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસને સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને ગંભીરતાથી લેવામાં […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 […]

સુરતમાં ટેક્સટાઈલ્સ માર્કેટ ખોલવાની માગ પોલીસ કમિશનરે ફગાવી

સુરતઃ કોરોનાને લીધે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો મીની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેમાં બેન્કિંગનું કામકાજ છે, તેના માટે બે કલાક સુધી […]

અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. જો કે, ઉત્તરાયણની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code