1. Home
  2. ગુજરાતી
  3. સુરતમાં ટેક્સટાઈલ્સ માર્કેટ ખોલવાની માગ પોલીસ કમિશનરે ફગાવી
સુરતમાં ટેક્સટાઈલ્સ માર્કેટ ખોલવાની માગ પોલીસ કમિશનરે ફગાવી

સુરતમાં ટેક્સટાઈલ્સ માર્કેટ ખોલવાની માગ પોલીસ કમિશનરે ફગાવી

0
Social Share

સુરતઃ કોરોનાને લીધે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો મીની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેમાં બેન્કિંગનું કામકાજ છે, તેના માટે બે કલાક સુધી ઓફિસ ખોલવા દેવામાં આવે. વેલ્યુ એડીશન માટે છે તે માલનો સપ્લાય કરવામાં આવતો હોય છે તે પણ કરવામાં થોડી રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ કમિશનર દ્વારા એસોસિયેશનના તમામ હોદ્દેદારોને સરકારે આપેલી ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવા માટેની સૂચના આપી છે અત્યારે ટેસ્ટાઈલ માર્કેટમાં કોરોના સંક્રમણના કેસ વધવાને કારણે ગાઈડ લાઈનનું ચુસ્ત પણે કરવું જરૂરી છે. હોદ્દેદારોએ પોલીસ કમિશનરની વાતને સ્વીકારીને સરકારે જાહેર કરેલી તારીખ સુધી સહયોગ આપવાની બાંહેધરી આપી છે.

ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન અને પોલીસ કમિશનર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ હતી. ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી છે. ટેક્સટાઈલ માર્કેટ ખોલાવા સહિતની માગણી કરવામાં આવી હતી. જોકે, હાલની પરિસ્થિતિ જોતા માગને ફગાવી દેવામાં આવી છે અને ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશને સહયોગ આપવાની બાંહેધરી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આગામી દિવસોમાં મીની લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં જતો રહેશે. ઉદ્યોગની જે પેમેન્ટની સિસ્ટમ છે તેના ઉપર મોટી અસર થઈ છે અને તેના કારણે લોકોના કરોડો રૂપિયાના વ્યવહારો અટવાઈ ગયા છે. પેમેન્ટ સિસ્ટમમાં ઊભી થયેલા અવરોધના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્ષના માર્ચ, એપ્રિલ અને મે મહિના ખૂબ મહત્વના હોય છે. સમગ્ર વર્ષની સૌથી વધુ આવક આ સીઝન દરમિયાન થતી હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન લગ્નસરા દક્ષિણ ભારતમાં અલગ-અલગ તહેવારોની ઉજવણી તેમજ ઈદ જેવા તહેવારો પણ આવતા હોય છે. તેના કારણે દેશભરની અંદર ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. એક અંદાજ પ્રમાણે આ ત્રણ મહિનામાં જ 6000 કરોડ કરતાં વધારેનો વેપાર ટેક્સટાઇલ ઉદ્યોગ કરી લેતો હોય છે. કોરોના સંક્રમણને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને ખુબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code