1. Home
  2. Tag "controversy"

ઝારખંડઃ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા પ્રાર્થનામાં ફેરફાર કરાયો, વિવાદ ઉભો થતા અધિકારીઓ દોડતા થયાં

નવી દિલ્હીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના સદર બ્લોક અંતર્ગત કોરવાડીહ સ્થિત સરકારી અપગ્રેડેડ સ્કૂલમાં ધર્મના નામે નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો છે કે મુસ્લિમો, જેઓ વિસ્તારની બહુમતી વસ્તી ધરાવે છે, તેઓએ કંઈક મનસ્વી કરવાનો પ્રયાસ કર્યો છે અને શાળામાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો પર આરોપ છે […]

ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું

ભાવનગરઃ શહેરની ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું. આ અભિયાન માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને તેમને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા કહેવામાં આવ્યુ હતુ. કોલેજના મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓને કરેલુ લેખિત ફરમાન સોશ્યલ મીડિયામાં વાયરલ થતા […]

સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા PGમાં 5-6ને બદલે તમામ સેમેસ્ટરના માર્ક્સને આધારે અપાતા પ્રવેશ સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી સ્નાતકના છેલ્લા વર્ષ યા ને યુજીના 5 અને 6 સેમેસ્ટરના ગુણના આધારે પીજી (અનુસ્નાતક)માં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે યુજીના વિદ્યાર્થીઓના 1થી6 સેમેસ્ટરના ગુણની ગણતરી કરીને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા કરી દેતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે અખિલ ગુજરાત વિદ્યાર્થી સંગઠને પણ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર […]

નરોડાના નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણના મુદ્દે દલિત સમાજ દ્વારા ધારાસભ્યનો ઘેરાવ

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઓવરબ્રિજનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાશે. છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે  મંગળવારે નરોડા ખાતે આવેલી એક હોસ્પિટલની મુલાકાતે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં […]

રાજસ્થાનઃ પરશુરામ જ્યંતિ નિમિત્તે લગાવેલી ધ્વજાઓ લઘુમતિ કોમના યુવાનોએ ઉતારતા વિવાદ

નવી દિલ્હીઃ જોધપુરમાં લાઉડસ્પીકર પરનો હંગામો હજુ સમાપ્ત થયો નથી. હવે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે હિંસા થઈ છે. ઝંડા ઉતારવા મામલે બે કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસ ઉપર પમ તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારી અને ચાર પત્રકારો ઘાયલ થયા હોવાનું […]

અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટની 200 CNG બસો મળતિયા કોન્ટ્રક્ટરોને આપવાની દરખાસ્તથી વિવાદ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની એએમટીએસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. જેમાં હવે તો ભાજપના મળતિયાઓને બસ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપવાની દરખાસ્તથી વિવાદ જાગ્યો છે. એએમટીએસ દ્વારા ખાનગી બસ ઓપરેટરો પાસેથી 200 જેટલી સીએનજી મીડી નોન એસી બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભાજપના જ મળતિયા […]

આંધ્રપ્રદેશમાં જીન્નાહ ટાવરને લઈને વિવાદ, ભાજપાએ નામ બદલવા કરી માંગણી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં આવેલા જિન્નાહ ટાવરને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એક ટોળુ ટાવર ઉપર તિરંગો લહેરાવવા ઘુસ્યું હતું. જે બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપ દ્વારા આ ટાવરનું નામ બદલીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામ ઉપર રાખવાની માંગણી કરી છે. એમએલસી અપ્પી રેડ્ડીએ ભાજપ પર “સાંપ્રદાયિક મુદ્દાઓ ઉભા કરીને લોકોને ઉશ્કેરવાનો” આરોપ મૂક્યો અને […]

સરહદ પરની શાંતિ ડહોળવા ચીનની ઑનલાઇન હરકત, ભારતીય સૈન્ય થયું વધુ સતર્ક

સરહદ પર વિવાદ ભડકાવવા ચીનની ચાલ હવે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી રહ્યુ છે આ બાદ હવે ભારતીય સેના વધુ સતર્ક થઇ છે નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ શમ્યો નથી. સરહદ પર શાંતિ ચીનને નાપસંદ હોય તેમ તે વારંવાર શાંતિને ડહોળવા માટે અલગ અલગ ચાલો અપનાવતું હોય છે. […]

JNUમાં ફરી વિવાદઃ વેબિનારમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબ્જાવાળુ દર્શાવાયું

એક વકીલે ફરિયાદ માટે શરૂ કરી કવાયત આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક વેવિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબજાવાળુ દર્શાવવામાં આવ્યું હતું. જેનો વિવાદ વકરતા એક વકીલે જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી તેજ બનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના એક […]

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમની ફાળવણીથી વિવાદઃ સંકુલમાં મંદિર નિર્માણની માંગણી

દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતમાં મુસ્લિમ બિરાદરો માટે નમાઝ પઠવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવતા સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે. નમાજ પઢવા માટે અલગથી રૂમની ફાળવણીના સ્પીકરના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસરમાં મંદિર બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે લોકશાહીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code