1. Home
  2. Tag "DIWALI"

દિવાળી પર માટીના જૂના જ દિવાઓનો આ રીતે કરો ઉપયોગ, કલર અને આ વસ્તુઓથી દિવડાઓ બનશે આકર્ષક અને નવા

  દિવાળીના તહેવારમાં ઘરની સજાવટને લઈને દરેક ગૃહિણીઓ અવનવી આઈડિયાઝ અપનાવતી હોય છે, ત્યારે આજે વાત કરીશું દિવાળીમાં પ્રગટાવવામાં આવતા માચીના દિવડાની, કે જેના સાદા લૂકને તમે ઘરમાં રહેલી વસ્તુઓથી ક્રિએટીવ બનાવી શકો છો, આ સાથે જ દિવડાઓને સજાવતા વકતે તેની સજાવટમાં ચાર ચાંદ પણ લાગશે, અને હાથથી કરેલી હસ્તકલાના ડેકોરેશનની મજા જ કંઈક અલગ […]

પાવાગઢમાં દિવાળીના પર્વ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયો

મંદિર સવારે 5 વાગે ભક્તો માટે દર્શનાર્થે ખોલાશે સાંજના 7.30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ કરાયું વિશેષ આયોજન અમદાવાદઃ દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો તહેવારોની ઉજવણી કરવા માટે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યાં છે. દરમિયાન દિવાળીના તહેવારોમાં ધાર્મિક સ્થળો ઉપર […]

રામનગરી અયોધ્યામાં આજે 24 લાખથી વધુ દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરાશે

દિલ્હીઃ દિવાળીનો તહેવાર આવી ચૂક્યોછે ત્યારે દેશભરમાં દિવાળીની રોશની જોવા મળી રહી છે જો ખાસ કરીને રામ નગરી અયોધ્યાની વાત કરવામાં આવે તો અહીં દિવાળી દરવર્ષે ખાસ રીતે ઉજવાતી હોય છે ત્યારે આજે અહી 24 લાખ 60 હજાર દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. રોશનીના પર્વ માટે અયોધ્યામાં એવી રીતે શણગાર  કરવામાં આવ્યો છે […]

દિવાળી પર દીવામાંથી બનેલ કાજલ કેમ લગાવવામાં આવે છે ? આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે

દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે અને આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલો છે જેમ કે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનું આગમન, દીવા પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ અને આ સાથે એવી માન્યતા […]

દિવાળીની સફાઈને કારણે ફાટી ગયા છે હાથ-પગ,તો ઘરે આ રીતે કરો પેડિક્યોર અને મેનીક્યોર

દિવાળી પહેલા ઘરોમાં સ્વચ્છતા અભિયાન વધુ તીવ્ર બને છે. ઘરની સફાઈની જવાબદારી માત્ર મહિલાઓની છે. દિવાળીની સફાઈ પછી હાથ-પગ એકદમ ગંદા થઈ જાય છે. ધૂળને કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. દિવાળી પર હવામાન પણ બદલાવા લાગે છે. જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને હાથ-પગ ફાટવા લાગે છે. જો તમે તમારા હાથ-પગને ચમકદાર […]

ધનતેરસના દિવસે ખરીદેલા ચાંદી કે સોનાના સિક્કાથી દિવાળીની રાત્રે કરો આ ઉપાય,પછી જુઓ કેવું બદલાય છે તમારું ભાગ્ય

આ વર્ષે દિવાળીનો તહેવાર 10 નવેમ્બરે ધનતેરસથી શરૂ થઈ રહ્યો છે. ધનતેરસના દિવસે કુબેરજી અને માતા લક્ષ્મીની સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીથી લઈને વાસણો અને વાહનો સુધીની દરેક વસ્તુની ખરીદી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે ખરીદી […]

દિવાળીની રજાઓમાં ફરવાનો બનાવો પ્લાન,દિલ્હીથી 2 દિવસની ટ્રીપમાં એક્સપ્લોર કરો આ નવી જગ્યા

દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો મોટાભાગે લાંબા વીકએન્ડમાં ક્યાંક બહાર ફરવા જાય છે. કેટલાક લોકો તહેવારો પર આવતા લાંબા વીકએન્ડમાં પણ ફરવા જાય છે. જો તમે પણ દિવાળી પર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ઘણી સુંદર અને નવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 2 દિવસ માટે શાનદાર ટ્રિપ પ્લાન કરી […]

અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 14મી નવેન્બરના બેસતા વર્ષના રોજ માતાજીને અન્નકુટ ધરાવવામાં આવશે. જો કે, 19મી નવેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય ફરી એકવાર રાબેતા મુજબ થઈ જશે. અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના […]

દિવાળીમાં બોણી આપવા નવી ચલણી નોટ્સનો ક્રેઝ, પણ 10 અને 20ની નોટ્સ જ બેન્કોમાંથી અદ્રશ્ય

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં નવી કડકડતી ચલણી નોટ્સ રાખવાનો ઘણાબધા લોકોમાં ક્રેઝ હોય છે. નવા વર્ષે ઘણાબધા લોકો પોતાની સોસાયટીના સિક્યુરિટી, સફાઈ કામદારો અને પોતાના ધરે કામ કરનારા લોકોને દિવાળીની બોણી આપતા હોય છે. ત્યારે નવી કડકડતી 10, 20 અને 50 કે 100 રૂપિયાની નોટ્સ આપતા હોય છે. ઉપરાંત ઘરના વડિલો પણ નવા વર્ષના આશીર્વાદ લેવા […]

દિવાળીના દિવસે જો તમને આ પ્રાણી જોવા મળે,તો સમજો તમારું નસીબ ચમકવાનું છે

દિવાળીનો દિવસ આપણા સનાતન ધર્મના લોકો માટે જેટલો ખુશીનો અને મહત્વનો દિવસ છે એ જ રીતે દિવાળીના દિવસે ક્યારેક જોવા મળતી વસ્તુઓ પણ એટલી જ મહત્વની છે. માન્યતા અનુસાર ગાયને માતાનો દરજ્જો મળ્યો છે. દિવાળીના દિવસે કેસરી રંગની ગાય જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ગાયને દેવત્વનું પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code