1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને અન્ય શાળાની જવાબદારી સોંપવા સામે વિરોધ
પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને અન્ય શાળાની જવાબદારી સોંપવા સામે વિરોધ

પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને અન્ય શાળાની જવાબદારી સોંપવા સામે વિરોધ

0
Social Share

ગાંધીનગર,12 જુન, 2026 : Protest against head teachers being given responsibility for other schools રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરીને પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે. શિક્ષણ વિભાગના નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગુજરાત) દ્વારા આ પરિપત્રનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ શિક્ષણની ગુણવત્તા વધારવાની મોટી-મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ મુખ્ય શિક્ષકો પર વધારાની શાળાનો કાર્યબોજ લાદી રહી છે. આ નિર્ણય તદ્દન વિરોધાભાસી અને શૈક્ષણિક હિતની વિરુદ્ધમાં છે. અગાઉ જાન્યુઆરી 2026 માં 10 કિલોમીટરની ત્રિજ્યામાં ચાર્જ સોંપવાનો નિયમ હતો, જેની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા છતાં સરકારે સુધારો કરવાના નામે અંતર વધારીને 15 કિલોમીટર કરી દીધું છે, જે વધુ જોખમી છે.

 મહાસંઘના પ્રમુખ પ્રવિણસિંહ બી. વાઘેલા અને મહામંત્રી રમેશભાઈ જે. ખેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય શિક્ષક એ કોઈપણ શાળાનું કેન્દ્રબિંદુ અને હૃદય સમાન હોય છે. શાળાનું શૈક્ષણિક આયોજન, વહીવટી વ્યવસ્થા, સરકારી યોજનાઓનું અમલીકરણ, નાણાકીય અને વિવિધ ઓનલાઈન કામગીરીઓ તેમજ વાલી સંપર્ક જેવી અનેકવિધ જવાબદારીઓ ઓલરેડી મુખ્ય શિક્ષકના શિરે હોય છે. આવી સ્થિતિમાં એક જ વ્યક્તિને બે શાળાઓનો વહીવટ સોંપવાથી બંને શાળાઓના શિક્ષણકાર્ય, બાળકોના ભવિષ્ય અને શૈક્ષણિક ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચશે. કાર્યબોજ વધવાના કારણે મુખ્ય શિક્ષકો ભારે માનસિક તણાવનો ભોગ બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code