ઈજનેરી કોલેજોના અધ્યાપકોની લડત દિવાળી બાદ વેગ પકડશે, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે
અમદાવાદઃ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનું પોતાના પડતર પર્શનોના ઉકેલ માટે મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે, છતાંયે પડતર પ્રશ્નો ન ઉકેલાતા હવે દિવાળી બાદ લડતને વેગ આપવાનો અધ્યાપક મંડળે નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ અધ્યાપક પોતાના અધિકાર માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના […]