1. Home
  2. Tag "fishermen"

પોરબંદરઃ જખૌ પાસે દરિયામાં માછીમારી કરતા મછીમારોને પોલીસે આપી સૂચના

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સીમા સાથે જોડાયેલું છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરમ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા જખૌ નજીક માછીમારી કરતા પોરબંદરના માછીમારોને ભૂલથી પણ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનના દરીયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. ગુજરાતના જખૌ […]

પાક.ની જેલમાં કેદ ગુજરાતના માછીમારોને સ્વજનો સાથે પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી

વેરાવળઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. જેમાં ગીર સોમનાથ.પોરબંદર,ઓખા, સહિત કાંઠા વિસ્તારના જિલ્લાના માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણીવાર માછીમારો ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગી લેતા હોય છે, તેયારે રાહ જોઈને બેઠેલા પાકિસ્તાનના મરીન ફોર્સના જવાનો ભારતીય માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જતાં હોય છે. હાલ ગુજરાત ઘણાબધા માછીમારો પાકિસ્તાનની જેલમાં […]

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા મહિલાઓ મેદાનમાં ઉતરી, આંદોલનની ઉચ્ચારી ચીમકી

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછીમારી કરતા માછીમારોનું પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અનેકવાર સામે આવે છે. હાલ પણ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જ 350થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. દરમિયાન આ માછીમારોને મુક્ત કરાવવા માટે હવે મહિલાઓ મેદાને પડી છે. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ પાકિસ્તાનની જેલમાં બંધ […]

માછીમારોને હવે ડિઝલની સબસિડી સીધી તેમના ખાતામાં જમા થશે

ગાંધીનગરઃ રાજ્યમાં માછીમારોને મળતી ડિઝલ સબસીડી  હવે તેમના ખાતાંમાં જમા થશે. એક કે તેથી વધુ 20 મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલા વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે,જેને ડીઝલ સબસીડી પણ […]

માલધારીઓ અને માછીમારોને પણ હવે ઓછા વ્યાજની લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે: રૂપાલા

રાજકોટઃ  સરકાર દ્વારા કિસાનોને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈપણ જાતના મોર્ગેજ વગર ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા માછીમારો અને માલધારીઓને પણ હવે મળશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરી છે. જનઆશીર્વાદ યાત્રાના અનુસંધાને સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને […]

જામનગર નજીકનો સમુદ્ર તોફાની બનવાની શક્યતાને લીધે માછીમારોને દરિયો ખેડવા પ્રતિબંધ

જામનગરઃ  સામાન્યરીતે જુન અને જુલાઈમાં જામનગરનો દરિયો તોફાની રહેતો હોય છે. આથી દરિયો ખેડવા પર કે માછીમારી કરવા પર 1 જૂનથી 30 જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા […]

સર્વે માટે આવેલી કેન્દ્રિય ટીમે ખેડુતો કે માછીમારો સાથે વાતચિત ન કરતા નારાજગી

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ કેન્દ્રિય ટીમ નુકશાનીનો સર્વે કરવા માટે ગુજરાતની મુલાકોતે છે, ત્યારે કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે […]

વાવાઝોડાની ચેતવણીને અવગણીને મધદરિયે પહોંચી ગયેલા 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાની પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી હતી. આમ છતાં કેટલાક માછીમારોએ ચેતવણી હોવા છતાં તેને લક્ષમાં ન લઈને મધ દરિયે માછીમારી કરવા પહોંચી ગયા હતા. નવસારી કૃષ્ણપુરની મીના બોટના 8 માછીમારો પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર દરિયામાંથી હેમખેમ મળી આવતા તેમના પરિવારજનોએ હાશકારો […]

પાક મરીને પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ સાથે 35 માછીમારોના કર્યું અપહરણ

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ પાકિસ્તાન પોતાની હરક્તા કરવાનું છોડતું નથી. પાકિસ્તાન મરીન એજન્સીએ પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ્સ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે. સૌરાષ્ટ્રના માછીમારો ઘણી વખત દરિયો ખેડતા આંતર રાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યારે પાક. મરીન દ્વારા માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોય છે. સૂત્રોના જણાવ્યા […]

પાક. મરીન સિક્યુરિટીએ ભારતીય બોટ સહિત 6 માછીમારનું કર્યું અપહરણ

અમદાવાદઃ  પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ વધુ એક વખત નાપાક હરકત કરી છે. ભારતીય જળસીમા નજીકથી પોરબંદરની એક બોટ અને 6 માછીમારો ના અપહરણ કર્યા છે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે.   ભારતીય જળસીમાં નજીકથી પોરબંદરની 1 બોટ અને 6 માછીમારનું અપહરણ કર્યું હતું. આ અંગે માછીમાર અગ્રણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code